1 ઘટમાં ઘોડા થનગને ,આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ .
2 છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ .આપ જરૂરથી સમજી ગયા હશો કે , આજે હું કોના વિષે વાત કરવાની છું . ગઈ વખતે એમનો નામોલ્લેખ કર્યો હતો ; તે , રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી . એમની જીવન ઝરમર તથા તેમની રચના વિષે સિંહાવલોકન કરીશું.
શ્રી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી નામના તારલાનો જન્મ માતા ધોળીબાઈની કુખે 1896ની 28 ઓગસ્ટના દિને ચોટીલા ગામે થયો હતો . એ તેજસ્વી તારલો 1947ની9મી માર્ચના દિવસે સાહિત્યના નભમાંથી ખરી પડ્યો. પોતાના જ ગામ બોટાદમાં હૃદય રોગના હુમલાનું આકર્ષણ નિમિત્ત બન્યું.
તેઓએ સંસ્કૃત સાહિત્ય સાથે બી.એ. સુધી અભ્યાસ કર્યો હતો . કવિ. લેખક, સંશોધક અને સ્વાતંત્ર્ય સૈનિક રહયાં હતાં . 1931માં , જયારે ગાંધીજી , વિલાયત "ગોળમેજી પરિષદ"માં ભાગ લેવા જતા હતા ,ત્યારે , "છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ" કાવ્ય ગાનકર્યું હતું . એ કાવ્ય વિષે ગાંધીજીએ કહ્યું હતું કે , "મારી હાલની સ્થતિનો આબેહૂબ ચિતાર આમ દર્શાવ્યો છે "અને એ સમયે મેઘાણીને "રાષ્ટ્રીય શાયર" કહીને બિરદાવ્યા હતા .
મેઘાણીનું બીજું પાસું એટલે , લોક સાહિત્યનો અખૂટ ખજાનો એકત્ર કરી શબ્દ દેહ આપવાનો પરિશ્રમ ! સૌરાષ્ટ્રના ગામેગામ ફરી સૌરાષ્ટ્રની વાતો "સૌરાષ્ટ્રની રસધાર " માં લખી . એજ પ્રમાણે ," સોરઠી બહારવટિયા" ના નામે એ સમયના બહારવટિયાઓના જીવન અને એમના પ્રણ , સિદ્ધાંતો વિશેની વાતો1927 થી 1929માં લખી .
જયારે જયારે બાળકીની વાત આવે ત્યારે ત્યારે મેઘાણી રચિત " ચારણ કન્યા " કાવ્યની યાદ ઉભરી આવે છે . આપ જરૂરથી એ મેળવીને વાંચજો . એમાં જે જોશનું રસભર્યું વર્ણન છે , એ વાંચીને આપણે પણ સ્ફર્તિવાન થઇ જઈએ . તેઓએ દેશ માટે મારી ફીટનારની કથાઓ " કુરબાનીની કથાઓ " ના નામે લખી છે ; તે તેમનું પ્રથમ પુસ્તક છે . લેખન સાથે તેઓએ પત્રકાર તરીકે કાર્ય કર્યું છે . "સૌરાષ્ટ્ર સાપ્તાહિક " અને "જન્મભૂમિ સમાચાર પત્ર " માં તેઓએ 23 વર્ષ પત્રકાર તરીકે કામ કર્યું . 1942માં તેઓ "ફૂલછાબ" નામના સમાચાર પત્રના તંત્રી રહયા . આ સાથે તેઓએ નવલકથાઓ લખી." વેવિશાળ" નવલકથા ઉપરથી નાટક ભજવાયું અને " માણસાઈના દીવા " માટે તેમને " મહિડા પુરસ્કાર " મળ્યો હતો . બીજી નવલોમાં , " વસુંધરાના વ્હાલા દવલા ,પણ ખ્યાતિ પામેલ છે . તેઓના કાવ્ય સંગ્રહમાં ,"વેણીના ફૂલ," જેમાં કિશોર અને નારીના ભાવ ઝિલાયા છે . "કિલ્લોલ, યુગવંદના " ગર બાના સંગ્રહોમાં " રઢિયાળી રાત (4ભાગમાં ) "ચૂંદડી '(2 ભાગમાં) ,"હાલરડાં" અને "કંકાવટી" જેમાં વ્રતો વિશેની વાર્તાઓ આપી છે . લોકસાહિત્યના પ્રદાન માટે 1928માં તેઓને "રણજિતરામ સુવર્ણ ચંદ્રક" આપવામાં આવ્યો હતો. એમના કેટલાંક જાણતા કાવ્યો .
1 જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
2 પોઢજો રે મારા બાળ , પોઢી લેજો પેટ ભરીને આજ,
કા;લે કાળાં યુદ્ધ ખેલાશે સુવા ટાણું ક્યાં ય ના રહેશે , શિવાજીને નીંદરું ના'વે માતા જીજીબાઈ ઝુલાવે (શિવાજીનું હાલરડું )
3 મીઠાં મધુ ને મીઠાં મેહુલારે લોલ ,એથી મીઠી તે મોરી માત રે
4 દાદા હો દીકરી વાગડ ન દેજો રે સૈ
5 સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા
6 ચૌદ વરસની ચારણ કન્યા , ગીરના કુત્તા ઉભો રેજે
રણ મેલીને એ કાયર ભાગ્યો , નર થઇ નારીથી ભાગ્યો , નાનકડી છોડીથી ભાગ્યો
7 રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે .-- આ કાવ્ય એક ભાવાનુવાદ છે .તેમની જ બંદિશમાં ચેનલ " બેલા બહાર પુષ્પ માલિકામાં " આપને સાંભળવા મળશે .
તો મિત્રો , આપણા ગુજરાતી સાહિત્યના આવાં આવાં અપ્રતીમ સાહિત્યકારો વિષે આપણે વધુ વાતો કરતા રહીશું