Pages

Showing posts with label આત્મા. Show all posts
Showing posts with label આત્મા. Show all posts

આત્મા



   અનિલ ઝૂમ્યો ,ઝૂક્યો 
   અને પૂછ્યું :
   લોકો આત્માની વાતો કરે છે ,
   તો એ આત્મા શું છે ?ક્યાં છે ?

   બેલાની વલ્લરી ડોલી ,ને બોલી ,:
   તારામાં લહેરાવાની શક્તિ છે ,
   એનું નિયમન કરનાર ,  આત્મા છે .
   મારામાં સુવાસ છે ,
   એ મારામાં મુકનાર ,આત્મા છે .
   લોકોમાં ચૈતન્ય છે ,કાર્ય શક્તિ આપનાર 
   આત્મા છે .
   આત્મા પીન્ડથી  જોડાયેલો છે 

  તને કોઈ જોઈ શકે છે ?
  મારી સુવાસને કોઈ જોઈ શકે છે ? 
  ન્ તને ,ન્ મને ,કોઈ અડી શકે છે ;
  ફક્ત અનુભવે છે .!

  એ જ રીતે મનુષ્ય પણ 
  આત્માને જોઈ કે અડી શકતો નથી .
  ફક્ત અનુભવે છે .
  આત્મા અનુભૂતિ છે .
  નિયમન કરનાર શક્તિ છે .
  એની મદદ -શક્તિ વડે ,
  જીવે કાર્ય કરવાનું.-નિષ્ઠા પૂર્વક.
  અને એની  શક્તિમાં ધ્યાન મગ્ન રહી 
  અંતે ,એ ઈશ્વર -
  જેને જોયો પણ નથી ,જાણ્યો પણ નથી ;
  ફક્ત માણ્યો છે ;
  - સાથે ભળી જવાનું .!

બેલા \૨૫ સપ્ટે. ૨૦૧૨ \૭ ૩૦ એ.એમ. \યુ.એસ.એ .



આત્મા સો પરમાત્મા "બોલવું જેટલું સહેલું છે એટલું એ પ્રમાણે આત્માએ પરમાત્મા સાથે સંલગ્ન થઈને દેહ ધર્મ નિભાવવો અઘરું છે .આત્મા જ્યારે દેહ ધર્મ નિભાવવાના કર્મો કરે છે ,ત્યારે એમાંથી ક્યારે માયાની લપસણી સીડીથી સરકતો જાય છે એ ખબર પણ પડતી નથી ;અને ક્યારેક તો આત્મા પરમાત્માની સમીપ પહોંચીને માયાના જરાક જેટલા પલકારાની લપેટમાં આવી પોતાની ઉચ્ચતર સ્થિતિ ગુમાવી બેસે છે.જે આત્મા ,પરમાત્મા સાથે જોડાઈને,માયાથી સાવચેત રહીને દેહ ધર્મ અને કર્મ ધર્મ નિભાવે તે જ સાચો સંત-આત્મા બની પરમાતાનું સાયુજ્ય પામી શકે ;અને ત્યારે જ "આત્મા સો પરમાત્મા "બોલી શકાય . બાકી બધા દંભ .

આત્માનો શરીરમાં પીન પોઈન્ટ નથી. શ્વાસ લેવા છોડવાનું જે નિયમન છે તે કદાચ આત્મા હોઈ શકે અને એ કરનારને પરમાત્મા કહેવાતું હશે .ચેતના -પ્રાણ તત્વ કદાચ એણે જ કહેવાય છે અને એ નિયમન-પ્રાણ તત્વ જાય ત્યારે મનુષ્ય મરે . બાળક જન્મે ત્યારે થપ થાપાવે છે  તે પ્રાણ તત્વને -બંધ કળને -ચાલુ કરવા માટે હશે,અને એમ કર્યા પછી પણ બાળકમાં ચેતન ના આવે તો મૃત ગણાતું હશે.:


આત્માને ખોળવો છે તો ઈશ્વરને પણ ખોળવો પડે .ઈશ્વર ક્યાં છે ?એની  પીન પોઈન્ટ છે ?એ કેવાં છે ?ખબર છે?
  હવા ક્યાં છે ?એ દેખાય છે ?એની  કોઈ ચોક્કસ જગ્યા છે ?એ જ રીતે આત્મા પણ અનુભૂતિ છે .તે અનુભવાય છે .તે દેખાતો નથી .તેનું કોઈ ચોક્કસ સ્થાન નથી .માટે જ આત્મા કે પ્રાણ તત્વ કે ચેતા-ચે તના ,જે નામ આપવું હોય તે આપો પણ એ જ જીવનમાં સૌથી મહત્વની વસ્તુ છે .એ ના હોય તો જીવન નથી .
   તેથી જ આગલા પત્રમાં મેં કહ્યું તેમ હું માનું છું કે ઈશ્વરે જે કાર્યો સોંપ્યાં છે તે ,ઈશ્વરમાં ધ્યાન મગ્ન રહીને નિષ્ઠા પૂર્વક પૂરાં કરવા ;અને સમય પૂરો થયે -એ પણ એ જ ઈશ્વરે નક્કી કર્યું હોય છે -ચાલ્યાં જવું . આવવું -જવું આપણી મરજી મુજબ નથી થતું .એનું નિયમન કરનારને આપણે ઈશ્વર કહીયે છીએ .;જેને અનુભવીએ છીએ .દેખી કે અડી શકતા નથી .
   એ જ રીતે જીવન શક્તિ -ચેતના -પ્રાણ તત્વ ,એ જ આત્મા !જે જોઈ કે અડી શકાતો નથી પરંતુ ફક્ત અનુભવાય છે .માટે તે શરીરમાં ક્યાં છે તે ખોળવાને બદલે બ્રહ્માંડમાં તે ક્યાં હશે અને આપણા ઉપર નિયમન કેવી રીતે કરે છે તે ખોળવામાં કદાચ ઈશ્વર પણ મળી જાય !અને તેને ખોળ વામાં ફક્ત ધ્યાન જ ઉપયોગી થાય .ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા અને તેનું ધારેલું એક રૂપ અથવા જ્યોતિનું ધ્યાન કરવું એ જ આપણી ખોળનું પગથિયું;જે અનંતમાં રહેલ નિયમન કરનાર શક્તિ પાસે પહોંચવામાં મદદ કરશે .