Pages

Showing posts with label શ્રી કૃષ્ણ જન્મ વિષે એક તર્ક. Show all posts
Showing posts with label શ્રી કૃષ્ણ જન્મ વિષે એક તર્ક. Show all posts

શ્રી કૃષ્ણ જન્મ વિષે એક તર્ક




     









શ્રી કૃષ્ણનું જન્મ-સ્થળ કારાગાર !
     શ્રી કૃષ્ણનો જન્મ સમય મધ્ય રાત્રી !

 આ બન્ને વસ્તુ શું સૂચવે છે ?
 એમાં ગંભીર અર્થ સમાયેલો છે.

 જીવ આ ભૌતિક ભૂમિ પર આવે છે,અવતરે છે,તે ભૂમિ જીવ માટે કારાગાર છે.જીવે તો પરમ-તત્વને પામવા ઊંચા,બૌધિક અને આધ્યાત્મિક રીતે ઉડવાનું છે.જીવ આ ભૌતિક જીવનમાં સગાં-સંબંધીઓની સાંકળની બેડીથી બંધાયેલો થઇ જાય છે.દુનિયા કારાગાર અને માં-બાપ,ભાઈ-બહેન ,પત્ની-બાળકો વિગેરેના સંબંધોની સાંકળથી બનેલી બેડી વડે જીવ બંધાય છે .

   મધ્ય રાત્રી એ ભવ-સાગરની મઝધાર છે.અંધારાથી વીંટળાયેલી-અજ્ઞાનના અંધારાથી વીંટળાયેલી એ રાત્રીમાંથી પસાર થઇ જ્ઞાનનાં તેજ તરફ જવા સંબંધોની બેડી તોડી કારાગાર માંથી  બહાર આવવાનું છે .

    આ પછી યમુના પાર કરતાં સમજાવે છે.:માયાથી પર બની યમુનારુપી ભવ-સાગર (મધ્ય-રાત્રીનો અંધકાર )પાર કરવા પ્રયત્ન કરશો તો શેષ-શાયી  શેષને-  ફણીધરને-  મદદ માટે મોકલશે અને એ .વિટંબણાઓમા છત્ર ધરશે.

   નદી,ભવસાગર પાર કરી ગોકુળમાં, પરમ આનંદમાં જીવશો.
  જે જીવ આ સમજ્યો તે જીવનો ઉદ્ધાર નક્કી જ છે .

અસ્તુ .                                            


 બેલા\૭\૯\૨૦૧૩ 
  ૧૨.૩૦.પી.એમ.