Pages

Showing posts with label નવનીત. Show all posts
Showing posts with label નવનીત. Show all posts

નવનીત



---પ્રભુ ! આરોગો આ નવનીત ,
---વલોણા વલોવ્યા ,કરી કેટલાં યે  કર્મ ;
---અંતે ઉભરી આવ્યું આ નવનીત ! 
---સ્વીકારો પ્રભુ ! થઇ આનંદિત ! 
                                    3\4\2023 
                                       10.30. એ.એમ. 

નવનીત ,ઘાસ અને જ્ઞાનનું



ગાયું ખાય ઘાસ ,
વાગોળી વાગોળીને 
અર્પે દૂધ સ્વરૂપે ;
દૂધનું દહીં ને દહીની છાસ ;એમાંથી;,
અંતે ઘાસ અર્પે નવનીતનો આસ્વાદ !

રૂખી રૂખી માહિતી તો 
સમજ્યા વિના એ ઘાસ 
માહિતીને વાગોળી વાગોળી 
જ્ઞાનમાં પરિવર્તિત જે કરે ;
જ્ઞાનનું ચિંતન જે  કરે ,
મળે તેને મર્મ માહિતીનો ;
           અંતે 
મર્મ બને નવનીત ,અને ,
મળે બ્રહમ નો આસ્વાદ !

બેલા\૧૬નવેમ.૨૦૧૨\૮.૧૫.એ.એમ