Pages

Showing posts with label જૂઠ ઉપર નિબંધ (વાચકમ બેઠકમાં). Show all posts
Showing posts with label જૂઠ ઉપર નિબંધ (વાચકમ બેઠકમાં). Show all posts

જૂઠ ઉપર નિબંધ (વાચકમ બેઠકમાં)

 આપણે શા માટે જુઠ્ઠું  બોલી જાતને છેતરીયે છીએ ?

સૌ પ્રથમ આપણે જુઠ્ઠું  બોલવાની પ્રેરણા વિષે વિચારીએ. માનવી શા કારણથી જુઠ્ઠું  બોલવા પ્રેરાય છે ?એક કારણ છે , લોભ અથવા લાલચ . જૂઠું બોલવાથી કોઈક પ્રકારનો ફાયદો થવાની આશા હોય ત્યારે માનવી જૂઠું બોલે છે . ક્યારેક કાંઈક કોઈક પાસેથી પડાવી લેવા - જેમ કે પેલી વાર્તામાં બતાવ્યું છે . બ્રાહ્મણ બકરીના બચ્ચાંને લઈને જતો હતો પરંતુ ધૂતારાઓને એ પડાવી લેવું હતું તેથી બ્રાહ્મણને તે કૂતરું લઇ જાય છે એવું ઠસાવીને બકરીનું બેચુ પડાવી લીધું ! -ની વૃત્તિ. 
  બીજું , જ્યારે માનવીને પોતાને જ જ્યારે ,પોતે કાંઈક ખોટું કર્યાનો એહસાસ થાય ત્યારે તે કાર્ય છુપાવવા માટે જૂઠું બોલે છે . તો વળી, ક્યારેક કોઈકને સજામાંથી બચાવવા સદ્ભાવે જૂઠું બોલે છે . અથવા ક્યારે ધર્મસંકટમાં આવી પડવાથી જૂઠું બોલે છે . આવા જૂઠ ને મહાભારતમાં - જેને પાંચમો વેદ કહ્યો છે -એમાં વ્યાસજીએ પણ માન્ય રાખ્યું છે . "અશ્વથામા મરાયો " 
  પરંતુ , માનવી પોતાને જ શી રીતે છેતરે છે ? ! તો, "આટલું જરાક જ ખોટું કરીશ તો કોઈ પાપ નહીં લાગે " એ વિચાર સાથે મનને કોઈક રીતે સમાધાન આપી દઈએ ,તે, જાતને છેતરી ગણાય . જે જવાબદારી સોંપાઈ હોય ,તે , વફાદારી પૂર્વક નિભાવવામાં ટાંચટોયા કરીને મનને મનાવીએ કે ,"ચાલી જશે કઈ વાંધો નહીં આવે " તે મનોભાવ જાતને છેતરે છે . ગુનાહિત પ્રવૃત્તિ કરતાં થતાં ખચકાટને વાહિયાત કારણથી એ ગુનો નથી પણ યોગ્ય જ છે ,એવું મનમાં ઠસાવવાનો પ્રયત્ન ,તેનું નામ જાતને છેતરવી .
 આવી વૃત્તિથી જ બાંધકામો તૂટી પડે છે . સિમેન્ટમાં થોડી રેતી ભેળવવાથી નાણાકીય ફાયદો થશે અને કોઈને કાંઈ ખબર નહીં પડે એ જાતને છેતરતું જૂઠ  છે . કામ કરવામાં ઢીલ કરીયે આ મનોવૃત્તિ જ જાતને છેતરવાના જૂઠ નો પાયો બને છે . આ વૃત્તિ ઉન્નતિ માટે હાનિકારક તો છે જ , સાથે સાથે તે એદી અને આળસુ બનાવે છે . દંભી વર્તનથી જાત છેતરાય છે . આપણે કોઈકને છેતરીએ  છીએ ત્યારે આપણે  આપણી જાતને જ છેતરીએ છીએ . છેતરવાનું મૂળ જૂઠ  છે . એ ન હોત  તો છેતરપિંડી પણ ન હોત  .જે માણસ જૂઠું બોલે છે , તે પોતાના અસ્તિત્વના નકારે છે . વારંવાર જૂઠું બોલવાથી આદત પડી જાય છે ; અને તેથી મન કુંઠિત થઇ સંવેદનહીન થઇ જાય છે .માનવતાનો એક એક અંશ દરેક જુઠ  વખતે મરતો જાય છે . સ્થૂળ જુઠ  તો પકડાય છે ,પણ , આ , માનસિક સ્તરે આચરેલા જુઠને  આપણે માનસિક વ્યભિચાર કહી શકીએ ; જેની કોઈ સજા કાયદામાં નથી . 
    કવિ શ્રી દલપતરામે લખ્યું છે ," ભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત , ઘડીએ મનમાં ઘાટ ,તે , જાણે  જગતનો તાત "માટે , જગતના તાતની દ્રષ્ટિમાં હીણા  ન બનવું હોય તો જૂઠું બોલી ને કે બીજાને કે સ્વયંને છેતરવાની લાલચને વેગળી રાખવી જરૂરી છે . 

23 Feb. 2021