વિચારો ,
મનનાં તાણા વાણાથી કેવી ચાદર બને ?
સુંદર રંગી, સુ- રૂપ કળા વાળી ?
કે , આડાતેડા દોરાધાગાના ગૂંચળા વાળી ?
સમદર્શી, સમવર્તી,માયાથી ગૂંથેલી ?
કે, રાગ-દ્વેષના અંગારસમ લાલ ચણોઠીની વેલીવાળી?
ભક્તિના શુદ્ધ સુવર્ણી તાણા થી મઢેલી ?
ને , સુકૃત્યોના રૂપેરી વાણાથી વણેલી ?
મનનાં આ તાણા -વાણાથી ચાદર શોભે કેવી !
ઓઢાડું પ્રેમે , પ્રતિમા,ને મારા ,પ્રીતમકેરી !
ઉપર પહેરાવું, "બેલા"ફૂલમાળા ગૂંથેલી ;
રાચે રાય ! મન્દ હાસ્યે, કરી કેલી !!!
6/6/2025
11.15 એ એમ

No comments:
Post a Comment