Pages

Showing posts with label ગૌરવ. Show all posts
Showing posts with label ગૌરવ. Show all posts

ગૌરવ

       "ગૌરવ" --ગુરુનો અર્થ છે; મોટું-મોટાઈવાળું , અને મહત નો અર્થ છે ; શ્રેષ્ઠ,મહાનતાવાળું, ઉચ્ચતાવાળું।  આ બન્નેને એકત્ર કરીએ તો , ગૌરવ શબ્દનો અર્થ બરાબર સમજાય . ગૌરવ  વધે ,કે , ગૌરવ કરીએ તે શાનાથી ?તો, વ્યક્તિના કોઈ મહાન કે શ્રેષ્ઠ કાર્યથી અથવા કોઈ વિરલ ઘટનાથી . મનુષ્યનાં  સુ-કર્મોથી એને મહત્તા મળે. દેશના કાર્યકર્તાઓના ,દેશની ઉન્નતિ માટેના સદ્કાર્યોથી એમને મહત્તા મળે, અને પ્રજા એવા દેશપ્રેમી નેતા મળ્યાનું  ગૌરવ અનુભવે . અથવા કોઈક ઘટના જ્યાથી  ઘટી હોય, તેના માટેના અહોભાવથી  તે  સ્થાનનું ગૌરવ વધે . 

        ખગોળવિજ્ઞાન હોય,વૈજ્ઞાનિક શોધ હોય , અભ્યાસ કે આધ્યાત્મિકતામાં શ્રેષ્ઠ હોય , કે કલાક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવી હોય,  કે પછી, દેશ માટે  કુરબાની આપી હોય ,આ બધી વ્યક્તિઓ મહાન અને "ગૌરવશાળી " ગણાય . ગૌરવ સાથે ગર્વ, અભિમાન, મદ , અહંકાર જેવા શબ્દો જોડાયેલા છે।  આને આધ્યાત્મિક રૂપે જોઈએ તો, અભિમાન,મદ , અહંકાર તામસી ગૌરવના પ્રતીક ગણાય। જેમાં રાવણ ,દુર્યોધન જેવી વ્યક્તિઓનો સમાવેશ થઇ શકે।  ગર્વ શબ્દ ને રાજસિક વર્ગમાં લઇ શકાય।  " મેં આ ઇનામ મેળવ્યું " કે " મને આ પદ મળ્યું " જેવાં  (ભલે ગૌરવ લેવા જેવા જ છે ,તો પણ )વાક્યો માં "હુંપણું" આવવાથી રાજસિક વર્ગમાં લઇ શકાય।  જ્યારે "ગૌરવ" એ" ત્રીજા પુરુષ" માટે વપરાતો શબ્દ છે , , બીજાની સિદ્ધિઓ અથવા બીજાએ પ્રકાશમાં આણેલી ઘટનાઓ વિશેનો અહોભાવ,ગર્વ સાત્વિક વર્ગમાં લેખી શકાય।  આમ કોઈ વાસના , કામના કે અહંકાર નથી. તેથી તેવી વ્યક્તિ અથવા ઘટના ગૌરવશાળી ગણાય . ,પરંતુ  આ ગૌરવને સલુકાઈથી, નમ્રતાથી જાળવી, ગર્વિષ્ઠ ન બને તો જ એ વ્યક્તિ ગૌરવ"વંતી" ગણાય . ગૌરવની ગરિમા જાળવી રાખવી જરૂરી છે।  આ સ્થાને પહોંચ્યા પછી ભૂલથી યે કોઈ અકર્મણ્ય કર્મ થઇ જાય , તો , તરત જ બદનામી સાથે અધઃ:પતન થઇ જાય છે।  રાવણ જેવો મહાજ્ઞાની ભક્ત સીતાહરણથી નીચે પડ્યો અને મળેલું ગૌરવ ખોઈ બેઠો . કેટલાંક  પોતાના વિવાદાસ્પદ કથનો થી પોતાને મળેલું ગૌરવ ખોઈ બેઠા છે।  
         આ તો વક્તિના ગુણ -ગૌરવની વાત થઇ।  આ જ રીતે દરેકે દરેક દેશને  પોતાના  રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનું ગૌરવ હોય છે।  ; અને તે જાળવવું એ દુનિયાની પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે।  રાષ્ટ્રધ્વજ લહેરાવતી વખતે અને રાષ્ટ્રગાન ગવાતું હોય ત્યારે અદબથી ,સ્થિર ઉભા રહી માં આપવું જરૂરી છે. 
         આપણા ભારતનો ઇતિહાસ જોઈએ તો, લગભગ દરેક ક્ષેત્રમાં ભારતને અનેક રત્નો મળયા  છે।  સ્વરાજ્ય માટે , ; રાણી લક્ષ્મીબાઈ , શિવાજી મહારાજ, ગાંધીજી , સરદાર। તો ભામાશા જેવાં  દાનવીર  મળ્યાં  છે।  સાહિત્ય ક્ષેત્રે  રવીન્દ્રનાથ ટાગોર , ગણિત ક્ષેત્રે અમર્ત્ય સેન ,તો અણુક્ષત્રે ડૉ .ભાભા અને અંતરિક્ષ ક્ષેત્રે વિક્રમ સારાભાઈ। !અંતરિક્ષક્ષત્રમાં તો ભારતે  પ્રથમ  પ્રયાસમાં જ મંગળ ગ્રહ પર પહોંચીને સારા વિશ્વમાં ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે। !  રમતગમતમાં તો અનેક હિરલાઓ છે।  આ બધી આપણી ગૌરવવંતી સંપત્તિ  છે।  તો અબ્રહામ  લીકન, નેલ્સન મન્ડેલા , કિંગ માર્ટિન લ્યુથર જેવી ગૌરવવંતી વ્યક્તિઓને પણ કેમ ભૂલી શકાય ? 
          કિન્તુ અફસોસ સાથે કહેવું પડે છે કે , ભરતવાસીઓ ભારતનું ગૌરવ .-સંસ્કૃતિનું ગૌરવ સાચવવામાં ચુકી ગયા છે. આપણા વેદ પુરાણો, ચરકનું આરોગ્યના પુસ્તક વિષે કે  દરેક ભારતીય ભાષાની જન્મદાત્રી સંસ્કૃત ભાષાને સાવ જ પાછળ ધકેલી ,અન્યની સંસ્કૃતિમાં અને એ સાથે ચાલવામાં મોટાઈ માનવા  લાગ્યા છે।  હવે, જ્યારે પશ્ચિમના દેશોએ સંસ્કૃત ભાષાને  મહત્વ આપવા માંડ્યું, કે આપણી દેશી ઔષધિઓને પ્રમાણપત્ર આપ્યું ત્યારે થોડુંઘણું ફરી એ તરફ વળવા લાગ્યા છે ; તે હર્ષની વાત છે. ચાલો આ વળતાં  વહેણને પણ આપણું ગૌરવ માનીને વિરમું છું।