Pages

Showing posts with label સખીને. Show all posts
Showing posts with label સખીને. Show all posts

સખીને



મારા શબ્દોના સહભાગીઓ,આજે જીન્દગીમાં સૌ પ્રથમ જે કાવ્ય લખ્યું હતું તે આમાં લખું છું. 
શાળામાં ગુજરાતી વિષયમાં સ્વ.કવિ -જે અમારાં ગુજરાતીના શિક્ષક હતાં-; શ્રી પ્રહલ્લાદ પારેખે 
કવિતાનો એક પ્રકાર "છંદ" શીખવ્યો.ત્યાર પછી આ કાવ્ય લખ્યું.

                          સખીને (હરિગીત )

 ઓ ! આમ આ મારી સખી 
 મુજથી જતી દૂરે રહી ;
 આ પ્રેમ-સિંધુમાં મને 
 અટવાતી એ મૂકી ગઈ .

હા !કેમ હું જીવી શકું તારાં વિના મ્ધુભાષીણી ?
મારું નથી આ જગ મહીં ;કોઈ ,સખી તું ક્યાં ગઈ ?

તુજમાં રહી મારી સખી ,આ જીવનને હું ગાળતી ,
તારાં જતાં ,એ જીવનને ,આજે રહી હું બાળતી !

ના આવશો કોઈ ,મને એ આગથી રક્ષવા ,
મારે નકી જ જાવું રહ્યું ,મારી સખીની સંગમાં !

      *   *    *   *   *   *   *   *   *   *   *
તારી સમીપ આવી ગઈ છું,પ્રાણ પ્યારી ઓ સખી !
આ પ્રેમ દોર લાવી ઊભી ,મુજને અહીં એ છે નક્કી .

તુજ સાથ જીવી અહીં રહું ,એ ભાગ્ય મારું માનતી,
આ મિલનથી થઇ મુક્ત ,ક્યાંયે સખી તું ના જતી .
  
બેલા \૧૯૫૨