Pages

ઉર્મિલાની વ્યથા



      સીતે!તું  ધરતીની પુત્રી !
      એ ધરતીની પુત્રી :
      જે પોતાની છાતી પર 
      માનવને ખેલવા દે ,પશુને દોડવા દે ,
      યુદ્ધમાં તો પડ ચિરાઈ જાય-
      યુદ્ધ-વીરોના અશ્વો-ગજોની દોડાદોડીથી .
                   અને 
      તો યે ધરતી બધું ય ખમે ;ધીરતાથી .
                   એ ધરતી 
      એ ધીરતા તારામાં ઉતારી,સીતે ! 
      
      તેં વનવાસ સહ્યો,તારાં આર્યપુત્ર સંગે ;
      તેં વિયોગ સહ્યો અશોક વનમાં ;
      તેં અગ્નિ-પરીક્ષા આપી ;
                     છતાં ય 
      રજક્ના મહેણાંથી સહ્યો વનવાસ ફરી !
                     અને 
      અંતે , પુત્રોએ રણવાસની જાજમ પાથરી ,
                     ત્યારે 
      પતિની હ્ઠ સામે નિરુપાય થઇ 
       પાછી ધરતી માં સમાઈ !.
                   પરંતુ 
      હું અને બહેન શ્રુતિ તો 
      ધરતીની પુત્રીઓ નહોતાં
                 તો યે 
     અમે પણ શાને ધખ્યાં ?
     તપ્યાં?ચિરાયા ?અમારાં આર્યપુત્રોથી?
    અમને શાને એકાંત-વાસ ?!!
    અમને પૂછ્યા કે જણાવ્યા વગર જ 
    વનવાસ કે કુટિર-વાસનો નિર્ણય?!
   બંધુપ્રેમ અને રાજ્ય-ધર્મ સામે 
     પતિ ધર્મ શાને વિસરાયો ?!!
     રાજ-કુળમાં પત્નીનું અસ્તિત્વ,-મહત્વ શું ?
      સીતે ! કહો મને .
                                        બેલા\૧૮\૯\૨૦૧૩.
                                                 ૮.૧૫.એ.એમ.
  

ગણેશ-વંદન






    સિદ્ધિ વિનાયક ગણનાયક ,
    રદ્ધી-સિદ્ધિ ,શુભ-લાભ પાલક ,
    એક દંત હે વિઘ્ન વિનાશક ,
    વંદન તુજને લંબોદર ગજ કર્ણક.
                                 બેલા\૮\૯\૨૦૧૩ 
                                    ૧૦.૩૦પિ.એમ.

શ્રી કૃષ્ણ જન્મ વિષે એક તર્ક




     









શ્રી કૃષ્ણનું જન્મ-સ્થળ કારાગાર !
     શ્રી કૃષ્ણનો જન્મ સમય મધ્ય રાત્રી !

 આ બન્ને વસ્તુ શું સૂચવે છે ?
 એમાં ગંભીર અર્થ સમાયેલો છે.

 જીવ આ ભૌતિક ભૂમિ પર આવે છે,અવતરે છે,તે ભૂમિ જીવ માટે કારાગાર છે.જીવે તો પરમ-તત્વને પામવા ઊંચા,બૌધિક અને આધ્યાત્મિક રીતે ઉડવાનું છે.જીવ આ ભૌતિક જીવનમાં સગાં-સંબંધીઓની સાંકળની બેડીથી બંધાયેલો થઇ જાય છે.દુનિયા કારાગાર અને માં-બાપ,ભાઈ-બહેન ,પત્ની-બાળકો વિગેરેના સંબંધોની સાંકળથી બનેલી બેડી વડે જીવ બંધાય છે .

   મધ્ય રાત્રી એ ભવ-સાગરની મઝધાર છે.અંધારાથી વીંટળાયેલી-અજ્ઞાનના અંધારાથી વીંટળાયેલી એ રાત્રીમાંથી પસાર થઇ જ્ઞાનનાં તેજ તરફ જવા સંબંધોની બેડી તોડી કારાગાર માંથી  બહાર આવવાનું છે .

    આ પછી યમુના પાર કરતાં સમજાવે છે.:માયાથી પર બની યમુનારુપી ભવ-સાગર (મધ્ય-રાત્રીનો અંધકાર )પાર કરવા પ્રયત્ન કરશો તો શેષ-શાયી  શેષને-  ફણીધરને-  મદદ માટે મોકલશે અને એ .વિટંબણાઓમા છત્ર ધરશે.

   નદી,ભવસાગર પાર કરી ગોકુળમાં, પરમ આનંદમાં જીવશો.
  જે જીવ આ સમજ્યો તે જીવનો ઉદ્ધાર નક્કી જ છે .

અસ્તુ .                                            


 બેલા\૭\૯\૨૦૧૩ 
  ૧૨.૩૦.પી.એમ. 

હું અને તું




   





મારી આંખોમાં વસ્યો છે તું .
   હવે સરવા ન દઉં તને હું .
   પાંપણો બીડીને બાંધી દઉં હું ,(પછી)
   જોઉં કેવી રીતે છટકે છે તું !?

   હૈયાની દાબડીમાં છૂપ્યો છે તું .
   ફેફસાની બારીઓમાં શ્વસ્યો છે તું .
   પાંસળીના પિંજરામાં પૂરાયો તું .(હવે)
   કેવી રીતે છટકી શકે છે તું !?

   મારી રસના પર રમ્યો છે તું .
   તારી નામ-જપની માળામાં ગૂંથાયો તું 
   તારી ભક્તિના રસનું પાન કરું હું .
   હવે કેવી રીતે છટકી શકીશ તું !?

  તારાં ચરણો પકડી બેઠી છું હું .
  પાલવ પાથરીને રાચું છું હું .
  તને "બેલા"ની ખુશ્બુમાં ભરી લઉં હું .
  ને મારો કાં'નો પૂછે :
 "હવે  શું કરું હું ?!"
                                બેલા\૧૬\૯\૨૦૧૩ 
                                           ૧૧.૪૫.પી.એમ. 

पुकार
















  ठगनी तेरी मया प्रभुजी 
   फंस के हुई बे हाल 
   अब तो नाथ तेरो ही सहारो 
   तू ही लगावे पार |

   जनम जनम की बंधी ये डोरी 
   करम की पड़ी है गाँठ ,
   कैसे तोडू इस जंजीर को 
   तू ही बता दे पाथ ||

   बहेती जाऊ भवसागर में 
   काम-वासना के मगर खींचे  पाँव 
   गजेन्द्र के रखवाले 
   मुझे भी दे आधार .|

   भक्ति तेरी मुक्ति देगी 
   जानू इतना सार .
   जाने कब सुनेगा मेरे अंतर की पुकार ?!
                                      बेला\३\९\२०१३\८.३०.ए.म.

ઋતુ


  







ગોકુળમાં હવે એક જ ઋતુ,
          પાનખરની !
  શ્યામ સિધાવ્યા મથુરા   ,ને,
  ગોકુલ ગામ થયું ભેંકાર .

વર્ષોનાં વા'ણા વાયા   ,    ને ,
એક દિ' ઓધાજી આવ્યાં .
પાન ખરી કુંજમાં 
 સુક્કા ભંઠ મનડા સાથે 
 રાધાજી મગ્ન ચિતરવામાં .
 જોઈ ,ઓધાજી ઓચર્યા;
 "ચરણ ક્યાં કૃષણનાં?"
પીતમુખી રાધાજી વદ્યા :-
"ચરણ હોય તો મારો કાં'ન 
      વહ્યો જાય.
નાં હોય તો સામેથી હટે  જ નહી ને ?!"
"સામે તે કાંઠે ઊભો તારો કાનુડો "
સુણી દોડી રાધા ઘેલી.
           પણ 
બે કિનારા કદિ ય મળે છે ?
             કે 
રાધાનું મિલન થાય કાં'ન સંગે ?
ફરી ખરેલા પાનનો કચુડાટ.
ફરી વળ્યો ગોકુળમાં .
                        બેલા\૧૯\૭\૨૦૧૩.
                        ૧૧.૨૫ \થાઈલેન્ડ \૧૦૨૫ ઈન્ડીયા 

બેલા સંગ્રહ















૧----ચૈતન્યમ પૂર્ણ આનંદમ 
        સ્મરામિ શ્યામ એકોત્વામ 
        નમામી ત્વામ ચૈતન્યમ 
        મોક્ષ આનંદ સાગરમ .

૨-----ધરતી અને આકાશ 
         એક થતાં જોયાં
         સાગર અને આકાશ 
         ભેટી જતાં જોયાં 
                ક્ષિતિજે 
          કોણ કોનામાં ભળ્યું ,ના સુઝ્યું ;
          દૂર રહી જાણે ;બે આત્મા 
                 એક થયા !
           કેટલું અગમ્ય સત્ય!!
           છતાંય અસત્યનો ભાસ થતો  
                     જુદાઈનો .
           એથી જ જાણે અસત્યમાં 
           સત્ય છુપાઈ બેસી રહ્યું :
            દેહમાં આત્મા સમું !!


૩----હું આકાશ અને તું ધરતી,મને યુગ યુગથી તું ગમતી 
       હું ઝૂરતો રહું વિરહમાં ,ને રડતો રહું ,તું ઝીલતી 
       હું ગગન બન્યો તું રેતી ,મને કણ કણથી તું ગમતી 
       હું ઊંચે રહું અનંતે ,તું  ચરણો રહી પખાળી 
       હું હળવે રહી ઉતરતો. મને ક્ષિતિજ પર તું મળતી 
       હું એકોહમ જ્યાં તુજમાં ,તું ગંગા થઈને વહેતી .


૪-----ઘણી આવી વસંત,પતઝડ પણ વહી જશે, 
         પ્રિયે પ્રણય મારો,અચલિત એમ જ રહેશે .

         નદી બની વહી રહે ,પૂર બને , સુકાઈ સાગર જશે;
         પ્રિયે પ્રણય કિનારો બની ,અચલ એમ જ રહેશે .

         આ શરીર ,યૌવને કે વૃદ્ધ થઇ, રહે કે નહી રહે ;
         પ્રણયી આત્મા તો પ્રભુમય બની ,અચલ એમ જ હશે .
----------------------------------------------------------------------------------

આ મેં ક્યારેક વાંચ્યું હશે અને ઉતારી લીધું છે. :કોનું લખેલું છે તે ખબર નથી 

મા શારદાને




   શ્વેત કમળમાં સ્થિત 
   શ્વેત વસ્ત્રોમાં શોભિત 
   જેના હસ્તે વીણા સ્થિત 
    બ્રહ્માદિ દેવના વંદિત 
   તે મા શારદાને ચરણે 
   હું આશ્રિત આશ્રિત !

             બેલા\૨જુન્\૨૦૧૩\૧.૩૦\પી\એમ 

મનીષા




   કૃષ્ણ ! ચરણે તવ નમું નિરંતર ,
   મદનમોહન !હે ગિરિધારી !
   તુજ દર્શન પર વારિ જાઉં ,
   હે મુરલીધર,!બનવારી !

   વંકાયેલા મુખ પર શોભે ,
   મુકુટ ,મોરપિચ્છ-ધારી !
   હાથો માં સોહે છે કંકણ ,
   મનમોહન હે ત્રિપુરારી !

   વૃદાવનમાં બંસીબટ પર .
   બંસરીમાં એક ફૂંક મારી !
   ગોપ-ગોપી સંગ રાસ રચાવ્યો ,
   વચમાં સોહે રાધા દુલારી !

   "બેલા" મુગ્ધ બનીને નીરખે ,
    ઓ કાન્હા ! લીલા તારી !
    બની રમમાણ તુજ ભજનમાં ,
    પામીશ કૃપા ,ઓ મનહારી !

                     બેલા\૩૧\૫\૨૦૧૩\૩.૪૫.પી.એમ.

ગરૂડાધીશ




    તારે દેશ આવવા 
    મારો પાસપોર્ટ તો તૈયાર જ છે 
    મારા શામળા !
    તારા વિસાની વાટ જોઉં છું:
    તારો દૂત થાપો મારે એટલીવાર !
    તું ગરુડે ચડીને લેવા આવીશને ;
    મારા શામળા ?
    વિમાન વિના તો કેમ અવાશે ?
    તારા ગરુડની મજબુત પીઠ ઉપર 
    હું સહેલાઈથી સમાઈ જઈશ ;
    તારો હાથ થામીને  !

    એંધાણીઓ  આપી આપી આમ તડપાવીશ માં ;
    મારા શામળા !
    મારે તો રુમઝુમતા ,"બેલા"નાં ફૂલથી તારી સાથે રમતા રમતા 
    તારે દેશ આવવું છે ;
    માટે તો પાસપોર્ટ,પેટી ,બધું ય તૈયાર રાખ્યું છે;
    મારા શામળા!
    બસ ,ગરુડની પાંખોના ફફડાટની વાર છે .
                                       બેલા\૨૧\૪\૧૩\૧૧.૫૫પિ.એમ. .

તેડાં





   તારા વિમાનની ઘરઘરાટી મને સંભળાય છે 
                 મારા શામળા !
   લેવા આવે છેને ?
   હું તો તૈયાર જ છું;
  "બેલા"ની માલા સાહી હાથમાં :
   તને વધાવવા .

  ચાલી નીકળીશ તારી સાથે 
  તારા હાથમાં હાથ પરોવીને :
  એક પલ પણ તને ખોટી નહી કરું ;
            મારા શામળા !
                         બેલા \૧૯\૪\૧૩\૪.૪૫.પી.એમ.

યુગ્મ રંગ



       વસંત આજ મ્હોરી મ્હોરી રે 
       કેસુડાં સંગ ફોરી ફોરી રે .

      વન-ઉપવન સજ્યા ઓઢી ,
      રંગ બે રંગી ફૂલ ચુનરી રે .
      ભમરા ગુંજ્યા ,ને ,ફરી વળી ,
      ફૂલવેલ સમી આ તીતલિ રે .

      સંદેશ આવ્યા ,પિયુ-મિલનનાં 
      લઇ ગુલાલ, સજી ગોરી રે ,
      વ્હાલાના આગમના એંધાણે
      ભરી કેસરિયા કુંડી રે .

     ગોપી-કાન્હા સંગે રાચી 
     લલીતા-સખી ,રાધા ગોરી રે .
     નીરખી રંગ-રસિયા જોડી 
     "બેલા" ડોલી ,ઝૂમી રે .
                       બેલા\૨૪\૩\૧૩\૮.૪૫.એ.એમ.

ચોસર \ ચોપાટ



      ચોસર એટલે ચારે બાજુથી સ્રરો !
      ચોપાટ એટલે ,ચારે બાજુથી પડો.!

      ચોસર રમવા ,શકુની જેવી 
      કપટી બુદ્ધિ અને આંગળાની કરામત જોઈએ .
      અધર્મ જોઈએ 
      ધર્મ ચોસરમાં હારે છે .
      સત્ય અને શાલીનતા શરમાય છે .

      જીવનમાં ચોસરની બાજી ખેલવી 
      એટલે જિંદગી હારવી .
      આનંદ ,ઉલ્લાસ ,શાંતિ હણવી .

      ખેલ ખેલવો જ હોય  
               તો 
      સંતાકુકડી-થપ્પો ખેલો,; શામળા સાથે :
      "એ" પાવરધો છે એમાં !!
      "એ"ના હાથે પકડાઈને 
      થપ્પો લેશો બરડામાં ,
                તો 
      ઉદ્ધાર થઇ જશે આતમનો !

       પાસા અને સોગઠાં 
      અવળાં-સવળા કરવાને બદલે 
      તુલસી-રુદ્રાક્ષના મણકા ફેરવો 
                    અને 
      અનુભવો, પરમશાંતિ જીવનમાં .!
                                     બેલા\૨૨\૩\૧૩\૩.૪૫.પી.એમ 

શીવ



    શીવ ભોલેનાથ,શીવ રુદ્રહાક .
    શીવ સ્મશાનવાસી 
    શીવ ભસ્માંગધારી 
    જટાધારી જોગી શીવ .

           એ શીવ 
     શોભાવે ,સૌન્દર્ય-શિરમોર બીજ ચંદ્રને 
     ધરી મસ્તકે ,મુકુટ રૂપે .
     વહાવતા ગંગા શાશ્વતી ,શીવ 
     કાલસર્પ વિજયી શીવ.
     ઈડા,પિંગલા સુષુમ્ણા,અને,
     સત્વ,રજસ,તમસના વિજેતા શીવ. 
     અજન્મા ,અનાદિ-અનંત શીવ .
     ભુત-પ્રેત સંગે વિહરતા 
                પણ 
     વામાંગે સ્થિત ઉમાને 
     હર્ષાવતા શીવ 
     અઘોર તપસ્વી, છતાં 
     નૃત્યના આદ્ય દેવ શીવ .
     લાસ્ય-તાંડવ વચ્ચે 
     હાસ્ય-રુદ્ર્તા વચ્ચે 
    સમતુલા ધરાવતા શીવ .
               એથી જ 
     દેવાધિદેવ -મહાદેવ છે 
                  શીવ .
                        બેલા\૧૦\૩\૧૩\૪.૦૦ પી.એમ 

તારે દૂર દેશ



    મારી આંખ્યુંની દાબડીનાં રટન ખોવાણાં 
   મારગ સૂઝે ના ને પગ જોને અટવાણા .

   માયાના જંગલ ને મોહના તમરાં
   ક્યાં યે ના ગનાનનાં આગિયા ઝબકાણા 
   મને દોરે કુણ તારે દેશ અંતરાળા ?
   વ્હાલા ભાંગજે ભીડ ને દેજે હામ ધારણા .

  ઝાલ હાથ મારો ,ને પગ દંડીએ ચડાવ મારાં વ્હાલા 
 મેળાપે તુજને ધરીશ મારાં શામળા ,
 હાથે ગુંથેલ આ "બેલા"ની માળા .
                             બેલા\૮\૩\૧૩\૧.૨૦પિ.એમ 

તુમ્હે દેખતી હું તો લગતા હૈ ઐસે-સોંગ


 "તુમ્હારે લીયે " સંજીવ કુમાર અને વિદ્યા સિન્હા નું  ગીત છે ":અગર તુમ હો સાગર ,મૈ બહેતી નદી હું "

કાનાની ગમ્મત





    તારી છાયામાં વહી જાય જિંદગી મારી ;
    એટલી આશ મેં તો કાના ! ઉરે ધારી ,
    મુસીબત તો ભલે આવે ;ને થાય ઝખ્મો ભલે ;ભારી 
    હસતાં ઝીલાય પાલવડે ,ઉમ્મીદ મારી .

    મને તો ગમે છે એ ય ગમ્મત તારી ;
    કે છુપાઈ જાને તું મને ધક્કો મારી ,
    સતત શોધું હું તુંને તારી જ મેડીમાં ,
    ને તું ખટકાવે  મુજ હૈયાની બારી ! 

    કર જોડીને ઊભી તારે દ્વારે ,"બેલા" ,
    આશિષ દેજોગી ! તો હું તારી ઉપકારી . 
                                            બેલા\૧૦.૩.૧૯૮૪\૯.૪૫પિ.એમ. 

यार का करम





     दिले बेकरार में क्या ख्याल आ गया है 
     हँसते हँसते आँखों में पानी आ गया है |
  
    पुरनम आँखों की कसम ,दिल डूबा जा रहा है 
    चलते चलते कोई हमे लुटा जा रहा है ,
    टूटे हुए दिल की हालत ना पूछो ,
    मयखाने में भी जाम खाली रहा है |

   पिलाते पिलाते जो टूटी सुराही ,
   सोचा, मेरे हमदम ,पास  आ रहा है 
   निगाहें जो फेरी ,तो टुकड़े जिगर के 
   तेरा नाम अब भी रटा जा रहा है |

  सब्र कर ले अब तू ,बोल उठी है "बेला",
  की तेरा यार तुज पे करम कर रहा है ||
                             बेला\१०/५/१९८४\१०.०० पी.एम्. 

અલિ ,જીસસ.હરિ



  અલિ ,જીસસ,હરિ 
  પુકારો ભલે જે નામે 
        "એને " પણ 
  સંબંધો તો એક જ 
  "એ" સર્વ-શક્તિમાનને જ ને ?

  દુઆ માગે છે સૌ "એ"ની 
  હાથ જોડીને કે ફેલાવીને .
  અને આભાર પણ માને છે ;
સૌ ઉપર નજર ઉઠાવીને .
 શો ફરક છે ;"એ"ની આરાધનામાં ?
 ઈબાદત ખો ,પ્રાર્થના કે માસમાં ?
 ભજવા તો છે;"એ "એક પરમ-તત્વને જને ?
  આમીન ! ;ઓ માય! કે ઓમ !
  શું ફરક છે શાંતિ પાઠમાં ?
            તો પછી ;
  શાં માટે આ ધર્મના નામે 
  નોતરાય  છે ઝગડા ?
  હણાય છે વિશ્વ-શાંતિને ?
  શાં માટે આ ઘમસાણ ?

જ્ઞાનની જ્યોત જલાવ ,
            હે 
 અલિ!,ઓ માય ! ઓ હરિ !
               બેલા \૩૦\૧\૨૦૧૩ 
                         ૭.૦૦ એ. એમ .

કુંતી અને નિયતી




    જીવન સંધ્યાના કેસરી,ગુલાબી 
               ઉજાસમાં 
   અવકાશને નીરખતી બેઠી છે કુંતી .
                વિચારે છે :
  શું રચ્યું જીવન નિયતિએ મારું ?!
  બાળપણમાં કૌમાર્ય છીનવ્યું,
   વરદાન રૂપી શ્રાપે ;
  યૌવન વહ્યું,પાંડુ રોગી 
  પાંડુ રોગી પતિ સાથે ,વનમાં .
  મોહાંધ -કામાતુર પતિએ 
         દીધું વૈધવ્ય .
  પતિ -સંગ પ્રયાણ પણ 
  છીનવાયું, શોક્યથી .
  બની ,કુરુપુત્રોની ઓશિયાળી .
  ધર્માદા રાજ્ય પણ ગયું ,
યુધિષ્ઠિરના ચ્સર-ખેલમાં !
નિયતિએ ફરી વનવાસ દીધો.
અંતે જીવન ટકરાયું ,-મહાભારતના યુદ્ધમાં .
શું નીયતીને આજ સુઝ્યું ?
મને જીવન-ધનની ભેટ આપવામાં ?
                      બેલા\૧૯\૧\૨૦૧૩ 

જીવન -નદી




   જીવન તો વહેતી નદી !
મૂળ સાથેના સંબંધો 
વહેતા જાય સરી .!
સંબંધો વ્હેણમાં ધપે ;
લાકડા જેમ તરે .
થોડો સમય જોડાજોડ 
અને છુટા પડે ,જ્યાં ;
ગોળ નદી ફરે !
જીવનનાં દરેક વળાંક પ્રે;
વહેતા સંબંધો છૂટે .
ફરી ન મળે ક્યાર ય ;
નદી પાછું વળી ના જુએ 
એમ જ જીવન પાછું વળી ના જીવાય .
અંતે મળે બેઉ પોતાના સાગરને .
                    બેલા\૮\૧\૨૦૧૩ 
                      ૯.૧૫.એ.એમ.

પત્ર


 


  ખોવાઈ ગયો એ પત્ર લખવાનો આનંદ !.
  પત્ર ,ઊર્મિઓનો ખજાનો .
આ ખજાનાનો આનંદ ,આ 
કમ્પ્યુટરની યુવાની કદીય યે નહી માણી શકે .

ટપાલીની રાહ જોવી ,પત્ર હાથમાં આવતાં જ 
વાંચવાની તાલાવેલી ,અને ,પછી ,
એક ખુણામાં છુપાઈ ,શાંતિ થી 
એ વાંચવાની લિજ્જત !
અક્ષરો ઉકેલવાની મહેનત !
            અને 
આનંદાશ્રુ સાથે ચૂમી ,
હૃદય-સંગમ કરવાની 
સુવર્ણ -તક !
ઈ -મેઈલમાં ક્યાંથી?

વડીલોએ સાચવેલાં એ પત્રો !
આજના યુગમાં ગત યુગની 
દર્શાવે છે ઝાંખી !
વડીલોના હ્રદય-સંબંધની ઝાંખી .
એ વખતના વિષયોની ઝાંખી .
             યુવાનો !
હાથેથી લખેલ પત્રો ,
ઈ મેઈલ કરતાં જીવંત છે 
એક વખત માણી જુઓ .
              બેલા\૧૪\૧૨\૧૨.
                         ૧૨.૧૦ પી.એમ. 

ઉત્સવ





 કોણે શોધ્યાં ઉત્સવોને ?
કેવાં ફૂર્તીલાં અને આનંદિત હશે એ જીવો ?!

ઉત્સવ એટલે ઉત્સાહ,સ્ફૂર્તિ 
ઉત્સવ એટલે આનંદમય સંમેલન ,
ઉત્સવ એટલે પ્રેમનું પ્રગટીકરણ ,
ફૂલૂ ધજા પતાકા  નૃત્ય,
સંગીત,ગાન સાથે 
ઉત્સવ એટલે હ્રદયોર્મિનું  આદાન -પ્રદાન .
આ ,ઉત્સવ શોધનાર અને ઉજવનારને  
સહ્રદય ,સાનંદ અભ્નંદન !
                        બેલા \૧૪\૧૨\૧૨ 
                          ૧૧.૪૫ એ.એમ 

ચાડિયો



 વરસોથી ઊભો છું અહીં ,
 પંખીઓને ડરાવતો .
કંઈ કેટલાંય વ્હાણા અને દાણા 
 વહી ગયાં મારાં સામેથી .
 થાકી ગયો ,કંટાળી ગયો 
એક જ જગ્યાએ ખોડાઇને !
ક્યારેક તો મને પંખીની જેમ ફરવા મળે !
                    અને 
 ચાડિયો ચાલ્યો નિજ ખેતર છોડીને .
 મળ્યા ,ગાય ,માછલી ,મધમાખી 
 પૂછ્યું રમવા ભમવા ,કિન્તુ ;
 કામગરા સૌ ,છોડી ચાલ્યાં ,એને .

થાકીને છતાં ,ખુશ ચાડિયો ,હરી -ફરી 
આવ્યો પાછો નિજ ખેતરે .- જોયું તો ;! 
ખેતર  તો લડાઈના મેદાન સમ !

ડુંડા પડ્યાં જમીન પર ,અને 
દાણા ગયેલાં ચૂંથાઈ વેરાઈ .
       બિચારો ચાડિયો ! 
રોતો ઊભો રહ્યો ,નવા વર્ષની રાહ જોતો .

ફરી પાક લહેરાયો ;ડુંડા હરખાયાં .
ચાડિયો થયો રાજી રાજી .
              બોલ્યો 
"દાણા ,કણસલાં તમે 
લ્હેરાઓ છો જ્યારે ,જ્યારે ,ટમટમતા તારામાં 
અને ,રીમ ઝીમ નાં તારાનામાં ;
મેઘધનુષી આકાશ નીચે ,
            ત્યારે 
હું રહું છું રાજી રાજી .
મારાં બાળ ! 
હવે તો નાં હટું આહીંથી .
તમે તો મારાં જીવન-સાથી .!
                    બેલા\૮\૧૨\૧૨ 
                      ૪.૦૦  પી એમ.

યુદ્ધ



માનવ જાતે યુદ્ધ અને બુદ્ધ વચ્ચે પસંદગી કરવાની છે .
 ક્ષુલલક જમીનનાંટુકડા ;
 અને આગ લગાડતા તેલના 
          બદલામાં 
 વૃક્ષો,પાણી અને શાંતિ નષ્ટ કરવાનો શો અર્થ છે ? 
 આજે માનવી 
મનની સાચી  શાંતિ ખોઈને 
કોકેન.હેરોઈન અને દારૂમાં 
 શાંતિ ખોળે છે .

વિચાર બીજ શ્રી ગુણવંત શાહની કતારમાંથી મળ્યું છે .