Pages

કર્તવ્ય




-----"હે કૃષ્ણ ! સરખાવો આપણા જીવનને " 
-----ઉચરે કર્ણ , -"પાંડવ છે તું " જાણીને . 
-----" તમે ક્ષત્રિય, હું પણ ક્ષત્રિય, ઉછર્યાં ,
-----ગોવાળ અને સૂતપુત્ર થઈને ! 
-----યશોદાના કાળા "કા'ના " થઈને ,અને રાધામા ના વ્હાલા "વસુ "થઈને ! 
                             વિસાર્યાં તમે , ! 
-----ગોપબાળ, વ્રજને ,ગોકુળને ,અને રાધિકાને ! 

                             કિન્તુ કૃષ્ણ ! 
-----હું સૂતપુત્ર રહીશ, આપથી જુદો બનીને ! 
-----જીવીશ, રાધેય રહીને જ , ન "પાંડુપુત્ર થઈને . 
-----માત , સ્ત્રી, મિત્રોનો સારથી થઈને . 
-----હું કર્ણ છું , માધવ ! ના રહું , "સ્નેહદ્રોહી " થઈને .
-----કર્તવ્ય આપણાં  જુદાં, ઉછર્યાં ભલે, નમી વિધિને ; 
-----ભાવના ન આવે આડે , એક ક્ષત્રિયને ! 
-----તમે " ધર્મ " નિભાવ્યો, તમારું કર્તવ્યપાલન કરીને ;
-----હું "ધર્મ " નિભાવીશ મારું કર્તવ્યપાલન કરીને .
                                              14\1\2021 
                                                  1.50 પી. એમ .

No comments:

Post a Comment