Pages

ગીતા સ્ટડી ગ્રુપ-કેનેડા-વક્તવ્ય-7-12 માર્ચ 2023-અધ્યાય-2-શ્લોક-16-17-18

 


        જય  શ્રી કૃષ્ણ .
હતાશ થઈને બેઠેલા અર્જુનને ફરી સ્ફૂર્તિવાન બનાવવા માટે કૃષ્ણ એક મનોવૈજ્ઞાનિક તરીકાથી ચિકિત્સક બની , તેને ઝંઝોરવાના પ્રયત્નો શરૂ કરે છે . અત્યાર સુધી તેમણે  દેહ અને દેહી, એટલે કે શરીર અને આત્મા વિષે કહ્યું .હવે નિત્ય અને અનિત્ય વિષે કહે છે . 
     પ્રાણી માટે , જન્મ પહેલાંની સ્થિતિ અજાણ છે , અપ્રગટ છે .અને જન્મ પછીની- મૃત્યુ પછીની - પણ અજાણ -અપ્રગટ- છે . જેનું અસ્તિત્વ છે ,તેનો અચૂક નાશ છે . શરીર ઇન્દ્રિયો દ્વારા સુખ-દુ:ખ, ગરમ ઠંડુ  વિગેરે અનુભવે છે ; પણ આગળ જણાવ્યા પ્રમાણે શરીર-દેહ અને આત્મા-દેહી જુદા છે ,તેથી આ બધું આત્મા ને સ્પર્શતું નથી . ઉલટાનું આત્મા તો નિત્ય-અનિત્ય જાણીને-સમજીને શોક કે મોહમાં નથી ઘેરાતો .આ , નિત્ય- અ -વિનાશી અને અ -નિત્ય -ક્ષણભંગુર વિષે સમજાવવા, કૃષ્ણ ,16માં શ્લોકમાં વાત કરે છે . "ન + અસતો " =નશ્વર વસ્તુનું ,"ભાવ:"=હોવાપણું કે અસ્તિત્વ ,"ન વિદ્યતે "=નથી જણાતું . એટલે કે નશ્વર વસ્તુનું હોવાપણું અસ્તિત્વ  હોતું જ નથી .ભલે દેખાય પણ એ આભાસ માત્ર છે . તે તો નાશ પામે છે .અને , તે જ રીતે "સત"= નિત્ય-અ વિનાશી વસ્તુનો "અ ભાવ:" =ન હોવાપણું એટલે કે એ નથી એવો ભાવ-લાગણી-હોતી નથી ન.અ સત વસ્તુના-નશ્વર વસ્તુના હોવાપણાનો; અને "સત "=અ  વિનાશી વસ્તુના ન હોવાપણાનો કદી નાશ થતો નથી . અર્થાત, અસત  વસ્તુ , જેવી કે દેહ, સુખ-દુ:ખ, સૂકું-ભીનું,ગરમ-ઠંડુ, જાડુ -પાતળું, આ બધું અ નિત્ય છે ; સદા રહેતું નથી .જે રીતે મોબાઇલ ફોન એક ને એક મોડેલ નો કાયમ રહેતો નથી, કપડા અને તેની ડિઝાઇન , ઘરેણાં  , આ બધુ બદલાય છે;તે અ સત  છે તેથી , તેનો .સત ઉપર -આત્મા ઉપર કોઈ પ્રભાવ કે તેની સત્તા નથી . આવાં  ,ઇન્દ્રિયોના અનુભવ આત્માને કાંઈ પણ અસર કરી શકતાં  નથી . અસત  કે મિથ્યા વસ્તુનું અસ્તિત્વ કે ભાવ -હોવાપણાનો ભાવ થતો નથી . ;તેમજ સત નો -આત્માનો ન હોવાપણાનો ભાવ- તેના વિષે અભાવ થતો નથી .આત્માના અસ્તિત્વ વિષે નકારાત્મક ભાવ થતો નથી . માટે જ મૃત્યુ પામેલ વ્યક્તિ માટે સામાન્ય રીતે "તેના આત્માને શાંતિ મળો " એમ કહીયે છીએ . તે વ્યક્તિને માટે નથી બોલતા . માટે આત્મા શાશ્વત છે , સત  છે તે સ્વીકાર્યું છે . 
        સતનો  સામાન્ય અર્થ છે ; જે અવિનાશી છે તે , જે ત્રણે કાળમાં અસ્તિત્વમાં રહે છે તે ,જે દેશ, કાળ અને વસ્તુથી મુક્ત છે તે સત  છે. તેનો કદી અભાવ હોતો નથી . અસત  અર્થાત ,જે કાંઈ દેશ,કાળ અને વસ્તુથી બંધાયેલ હોય તે . જે આ બધા સાથે પરિવર્તન પામે -નાશ પામે તે .
        આગળ વધતા સત  શું છે તે સમજાવે છે . "યેન ઇદં "=જેના વડે આ ,"સર્વમ "=બધું ,"તતમ "= વ્યાપ્ત થયેલું છે ,"તત "=તેને "તું"= તો "અવિનાશી વિદ્ધિ "=અવિનાશી જાણ .અને "અસ્ય "=એ , "અ વ્યયસ્યૈ  "=અખંડના- અવિનાશીના ,"વિનાશકાળ " =નાશનો , "કરતૂમ"=કરવા માટે ,"કશ્ચિત" =કોઈ "અર્હતિ "= યોગ્ય ન થી ; એટલે કે , જેના વડે આ જગત વ્યાપ્ત થયેલું છે , તેને તું અવશ્ય રીતે અવિનાશી જાણ ; અને એ અવિનાશી એવા અખંડ બ્રહ્મનો નાશ કરવાને કોઈ પણ યોગ્ય નથી . અર્થાત, એ કોઈનાથી પણ નાશ પામી શકે એવું નથી . 
     શ્લોક 18 ."નિત્યસ્ય "=નિરંતર અસ્તિત્વવાળા , "અનાશીન"= નાશરહિત ,"અ  પ્રમેયસ્ય"= અનુમાન કે પ્રમાણોથી , એટલે કે દાખલાઓથી ન પામી શકાય --જ્યોમેટ્રીમાં પ્રમેયને દાખલાઓ સાથે સિદ્ધાંતને પુષ્ટ કરવાનો હોય છે - ઇતિ સિદ્ધમ , કહીને એમ જ અહીં , સતને -આત્માને કોઈ પ્રમેય- દાખલો આપી એનું સતીત્વ સિદ્ધ ન કરી શકાય એવો કહ્યો છે .પ્રમાણપત્રની જરૂર નથી . એ "અ  પરિચ્છેદય "= જેનું વિભાજન ન કરી શકાય તેવા ,"શરીરિણઃ" આત્માના ,"ઈમે "= આ ," દેહાહા"= શરીરો --આત્માએ ધારણ કરેલા શરીરો -"અંતવત:"= નાશવન્ત ,"ઉકતા:"-=કહયા છે .હે ભારત- અર્જુન, "યુદ્ધસ્વ"= તું યુદ્ધ કર . શ્લોકનો ભાવાર્થ  છે; નિત્ય, નાશરહિત  અને  કોઈનાથી પણ માપી ન શકાય , કોઈ પણ માપમાં લાવી ન શકાય તેવા ,આત્માના આ બધા શરીરોને નાશવન્ત કહેવામાં  આવ્યા છે . અર્થાત, પ્રાણીમાત્રના જે દેહો છે ,તે , કાળાંતરે નાશ પામવાના જ છે . માટે તું શોકનો ત્યાગ કર અને યુદ્ધ કરવા ઉભો થા. 
          આની પહેલા દેહ અને દેહી આત્મા અને શરીર વિષે જે કાંઈ કહેવાયું હતું તેને બીજા શબ્દોમાં કૃષ્ણ આ 3 શ્લોકમાં ,અભ્યાસ માટે ફરીથી કહે છે . શરીર જન્મ પહેલા પણ નથી અને મૃત્યુ પછી પણ નથી , અને વર્તમાનમાં પણ, તેનો પળેપળ  નાશ થતો જાય છે , તેનું અ સતીત્વ- તેનો ભાવ નાશ પામતો જાય છે . એટલે કે આ શરીર વિષેનો જે ભાવ છે, ધારણા છે , મમત્વ છે ,તે , ત્રણે કાળમાં કદિ  સ્થાઈ નથી; તેથી તે "અસત " છે . એ જ રીતે સંસાર પણ અસત -મિથ્યા છે . તેના ભાવ વિશેનો- અસ્તિત્વ વિશેનો ભાવ અસ્તિત્વમાં નથી . શરીર કે સંસાર બન્ને ત્રણે કાળમાં  અસ્તિત્વ ધરાવતાં નથી માટે તેની સત્તા પણ નથી અને ભાવ પણ નથી ,તે જાણી લેવું જોઈએ .
       દેહ નષ્ટ થયા પછી પણ દેહી-આત્મા- તો રહેશે જ અને શરીર-દેહ - ભલે પરિવર્તન પામે છતાં દેહી- આત્માનું તો એ જ અચલ, અવિનાશી અસ્તિત્વ જ રહે છે ; માટે એ સત  છે અને તેનો કદી અભાવ થતો નથી . તે જાણી  લેવું જોઈએ . સમજવું જોઈએ . આ વાત , નિર્વિશેષ  વાદી -નિર્ગુણવાદી  તથા નિરાકારવાદી  અને સગુણવાદી  એમ બન્ને પ્રકારના તત્વદર્શીઓ દ્વારા સાર રૂપે કહેવાય છે . "ઉભયોરપી દ્રષ્ટ:"
       અર્જુન ભૌતિક સમ્બન્ધોથી મોહિત થઇ  અજ્ઞાની થઇ ગયો છે, તેને કહેવાની સાથે કૃષ્ણ દરેક દેહધારીને આ કહે છે .આરાધ્ય- જેની આરાધના કરવાની છે તે - = પરમ અને આરાધક- જે આરાધના કરે છે તે - = અંશ પ્રાણી, બે વચ્ચેના સમ્બન્ધને સમજાવે છે . જેને જેને આકાર છે ,નામ છે , તે સર્વનો નાશ છે, અને , તેથી તે "અસત " છે . તેમાં કોઈ કાળે  હોવાપણું હોતું નથી. આ હોવાપણું અને અસ્તિત્વ માટે ભાવ શબ્દ વપરાયો છે ; અને ; "સત " જે કદિ  નાશ પામતું નથી, ક્યારે ય પરિવર્તન પામતું નથી, કોઈ પણ કાલે જેમનું તેમ જ રહે છે ; જેનું ન હોવાપણું થાતું નથી, તેને માટે "અભાવ" શબ્દ કહ્યો છે .
     આ "સત "ના લગભગ 21 લક્ષણો છે . એના નામ ઉપરથી જ સમજાય છે કે તે સત  છે; અને દેહ અસત છે . આપણે ઝડપથી આ લક્ષણોના નામ જોઈએ . 
     અવિનાશી , અવ્યય , નિત્ય , અપ્રમેય , --જેને પ્રમાણની જરૂર નથી -- , સ્થાણું =સ્થિર , અવ્યક્ત= જોઈ કે સ્પર્શી ન શકાય , આ નાશીન , અ  જન્મા , શાશ્વત , પુરાતન , અચ્છેદ્ય , અચલ , અચિંત્ય , અ  વધ્ય  , અ  દાહ્ય , અ  ક્લેદય= ભીંજવી ન શકાય , આઅ શોષ્ય = સુકવી ન શકાય કે સુકાઈ ન જાય તેવો , સર્વગત::= બધે વ્યાપ્ત , સનાતન , અ  વિકારી અને અ હન્ય .
     આમ આ લક્ષણો ઉપરથી જ થોડી સમજ તો પડી જ જાય કે , તે નિત્ય છે ;માટે સત  છે અને દેહ, જેનો ક્રમે ક્રમે નાશ થાય જ છે તે અસત  છે .   એક પદ છે ; " સતનું ચિંતન રે કરવું , સતવાયક નિષ્ચય ઉચ્ચરવું " આખા  પદ માં સત્ય  વિષે જણાવ્યું છે . સત્ય કર્મ કરવું, જૂઠું ન બોલવું વિગેરે . 
       તો , હું જે સમજી છું તે અહીં કહ્યું અને તે કૃષ્ણાર્પણ  કરીને વિરમું છું . 
     જય  શ્રી કૃષ્ણ . 

No comments:

Post a Comment