Pages

કેનેડાના સ્ટડી ગ્રુપમાં વક્તવ્ય-3 -અધ્યાય 6-શ્લોક 27-28-29

       અત્યાર સુધીના શ્લોકમાં જોયું કે , મન પરના ઇન્દ્રિયોના આધિપત્યને , ધીરજવાળી બુદ્ધિથી દૂર કરી , મનને બ્રહ્મ વિચારમાં - બ્રહ્મમય કરવું . આ માટે ધીરે ધીરે - શનૈઃ: શનૈઃ: - સતત  અભ્યાસ કરતાં  રહેવું. આ બહુ ધીરજનું કામ છે ; વિષયવાસનામાંથી ઇન્દ્રિયોને મુક્ત કરવાનું . ! પણ, એ સ્થિતિએ પહોંચ્યા પછી  બ્રહ્મ સાથે તદાકાર તો થવાશે , કિન્તુ , ચંચળ મનને અસ્થિર રાખનારા કારણો ઉપર વિજય મળે , તો , પૂર્ણ બ્રહ્મમય થવાય . મનને ચલિત કરનારા કે ધ્યાનમાં  વિક્ષેપ કરનાર મુખ્યત્વે ચાર-4- પ્રકાર છે . 

   1 - લયદોષ. ધ્યાનમાં બેસનાર મન્ત્રના લય સાથે કયારેક તંદ્રામાં જતાં રહે છે, અને  સામાન્ય રીતે જનસમાજ તેને સમાધિ લાગી એવું માને છે . આવા આ લય દોષથી કયારેક ધ્યાનસ્થ વ્યક્તિ પોતે પણ એ જ લાગણી અનુભવે  છે અને પોતાને  સમાધિ લાગી હતી એવું માની ઈતરાય છે . 
   2 વિક્ષેપ દોષ . આત્મ ચિંતન કે મન્ત્રોચ્ચાર માં મન સ્થિર ન રહેતાં , ધ્યેયથી  જુદાં વિચારો સાથે , સંસારની વાતો મનમાં ઉભરાવા લાગી , લક્ષ્યમાં વિક્ષેપ કરે છે . સાદો દાખલો લઈએ. એક મન્ત્રના જાપ માટે માળા લઈને જાપ શરૂ કરીએ અને એ પુરી થતા સુધીમાં મનમાં બીજા વિચારો આવી જાય છે ને ? ફક્ત 108 નામ જાપ પણ વિક્ષેપ વિના થતો નથી ,આપ સૌએ અનુભવું હશે . એજ વિક્ષેપ દોષ . 
  3 કષાય દોષ .- મન, ઇંદ્રિયોની , વાસનાની ભોગેચ્ચ્છા વિષે વિચારવા લાગે ત્યારે આ દોષ થયો કહેવાય . મને ખ્યાલ છે ત્યાં સુધી ઋષિ ભારદ્વાજ નદી પાસેથી પસાર થતાં હતાં, ત્યારે એમને અપ્સરાઓને સ્નાન કરતાં જોઈ .અને પલભર માટે આસક્ત થયાં. વીર્ય સ્ખ્લન થયું; તે એમણે  પડિયામાં ઝીલી લીધું, એમાંથી દ્રોણ  ઉત્પન્ન  થયા.  પડિયાને સઁસ્કૃતમા દ્રોણ  કહે છે . આ ઋષિનો કષાય દોષ થયો .
    4 રસાસ્વાદ દોષ .  ઉપરના ત્રણે દોષથી મુક્ત થઇ , મન, ધ્યાનમાં મગન થતાં આનંદની અનુભૂતિની શરૂઆત થાય છે . આ આનંદ રસને અનુભવવામાં અને એનું રસપાન કરવામાં મૂળ બ્રહ્મને જ વિસરી જાય ત્યારે આ દોષ લાગે છે . 
    આ કક્ષાએ પહોંચવું એ અતિ ધીરજનું કામ છે . માટે કહ્યું છે કે ;- 
શનૈઃ: શનૈઃ: કંથા , શનૈઃ: શનૈઃ: પંથા  ,શનૈઃ: શનૈઃ: પર્વત મસ્તકે ।
શનૈઃ: વિદ્યા, શનૈઃ: વિત્તમ,  પંચતાની શનૈઃ: શનૈઃ: ।।
    કંથા = ગોદડી . ધીરે ધીરે ટાંકાં લઈને બનાવીએ તો સુંદર બને .સાધુના વસ્ત્રને પણ કંથા  કહે છે ; જે કંતાનમાંથી બન્યા હોય છે .ગોદડીની જેમ જ મનને ધીરે ધીરે સંયમના ટાંકાંથી  સીવતાં જઈએ તો એ કંથા યોગમાં આગળ વધવામાં મદદરૂપ બને . પંથા- ધીરે ધીરે આગળ વધતા જઈએ તો લાંબો રસ્તો  પંથ કપાય . એ જ રીતે ધીરે ધીરે પર્વતના શિખરે પહોંચાય . વિદ્યા પચાવવા તેનું ધીરજથી મનન કરવું જરૂરી છે .અને વિત્તમ- ધન- માટે પણ ધીરજથી મહેનત કરવી પડે છે . લોટરીથી આવેલું ધન  કે ચોરીનું ધન , અપ્રામાણિકતાથી મેળવેલું ધન પડતી જ લાવે છે. ધીરે ધીરે રે મનવા ધીરે ધીરે સબ કુછ હોય, માળી  સીંચે સો ઘડા , રૂત  આયે ફલ  હોય . ઉતાવળે આંબા ન પાકે . એ જ વાત અહીં સજાવે છે . ધીરે ધીરે ધ્યાનાસનથી મન વશ થશે " અભ્યાસેન તું કૌંતેય , વૈરાગ્યેન ચ ગૃહયતે " મનોજય કે મનોનિયંત્રણ માટે અભ્યાસ  અને વૈરાગ્ય જરૂરી છે . આટલું અત્યાર સુધી જણાવ્યા  પછી 27 માં શ્લોકમાં અનુસંધાન માં જ કહે છે . ; " પ્રશાંત મનસમ હિ "થી શ્લોક શરૂ થાય છે . "હિ " = કારણકે , "પ્રશાંત", પ્ર  ઉપસર્ગ છે જે અતિ "શાંત" =શાંત "મનસં" = મનવાળા એટલે કે અતિ શાંત થયેલા મન વાળા ,"શાંત રજસમ"= જેનો રજોગુણ શાંત પડી ગયો છે ; (માનવમાં 3 જન્મજાત ગુણો  હોય છે રજસ, તમસ અને સત્ય ). તેમાંથી રજસ= કીર્તિ, માં, પ્રશંશા વિગેરેની ઇચ્છાનો ગુણ  નાશ પામ્યો છે તેવા અને જે ,"બ્રહ્મભૂતઃમન" = બ્રહ્મમય થેયા છે "એનમઃ યોગીનમ" એવા યોગીને ," ઉત્તમમ " = ઉત્તમ , " સુખમ"= સુખ ,"ઉપૈતિ"= પ્રાપ્ત થાય છે .આ સ્થિતિએ પ્હોચેલ ધ્યાની કે યોગી પાપરહિત થાય છે આમ લય , વિક્ષેપ અને કષાય દોષોથી મુક્ત યોગી બ્રહ્મ સાથે જોડાવા અતિ લાયક બન્યો હોવાથી રસાસ્વાદના દોષથી પણ મુક્ત થઇ જાય છે . તેનું મન બ્રહ્મ વિચાર સિવાય બીજો આનંદ રસ માણતું  નથી તેથી તેને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે . 
   આગળ 28 માં શ્લોકમાં આવા યોગીને " વી ગત કલ્મષઃ: ' કહ્યો છે .આવો વિ ગત જેના પાપ જતાં રહયાં છે એવો , "એવમ સદા  નિરંતર આત્માનમ" = એવું સદા નિરંતર ચિત્તને ; અહીં આત્મા શબ્દ ચિત્ત માટે વપરાયો છે . ગીતામાં આત્મા શબ્દ આત્મા માટે, ચિત્ત માટે , મન માટે, શરીર માટે અને બ્રહ્મ માટે પણ વપરાયો છે . શ્લોકના સન્દર્ભમાં સમજીને અર્થ લેવાના હોય છે . જેના પાપ જતાં રહયા છે અને જે ચિત્તને સદા નિરન્તર "યુનજન" જોડીને "સુખેન"= સુખથી એટલે કે બ્રહ્મમય થયા પછી શાંતિથી વિના વિઘ્ન સુખથી "બ્રહ્મસંસ્પર્શ "=પરમાત્માની પ્રાપ્તિરૂપ "અત્યંતમ" = અત્યંત "સુખમ" સુખને "અશનુતે "અનુભવે છે .અહીં એશ્નુતે કહ્યું છે; પ્રાપ્યતે નહિ; કારણ કે સુખ અનુભવાય છે એ કઈ સ્પર્ધાના કંપની જેમ પ્રાપ્ત કરીને પકડી શકાતું નથી . વ્યાસજી ની આ જ કાળા છે .; સંસ્કૃત ઉપર પકડ છે . કયો શબ્દ ક્યાં વાપરવો તે બહુ જ સારી રીતે જાણે છે . અર્જુનને ક્યારેક મહાબાહો કહી, વીરતાનું ભાન કરાવવું,ક્યારે કૌંતેય કહીને સહનશક્તિ, સમજશક્તિ વિષે સમજાવવું,ક્યારેક ગુડાકેશ કહી ઈન્દ્રીઓ ઉપર કાબુ રાખનાર કહવો ; પરન્તપઃ ભરતર્ષભ વિગેરે નામથી સંબોધવો અને અર્જુનના મુખમાં પણ કેશવ, માધવ, મધુસુદન, અચ્યુત વિગેરે સંબોધનો બહુ જ યોગ્ય જગ્યાએ યોગ્ય અર્થમાં મુક્યા છે . 
    આ શ્લોકમાં અશનુ શબ્દ અનુભૂતિના અર્થમાં છે 5માં અધ્યાયમાં 8માં શ્લોકમાં પણ આજ ઉચ્ચાર સાથે પણ જુદા લખાણ સાથે આવે છે .અહીં શાહમૃગનો શ છે અને ત્યાં ઊંધા ચોગડા  સાથે છે . 
    હવે જોઈએ , બ્રહ્મસંસ્પર્શ એટલે શું ? હું અને બીજું સર્વ કાંઈ બ્રહ્મ જ છે ."સર્વમ ઈદમ ચ બ્રહ્મા એવમ  ઇતિ ' આવી અખંડાકાર વૃત્તિથી, અદ્વૈત ભાવનાથી બધે જ બ્રહ્માને જુએ છે; બધાંમાં   જ બ્રહ્મનો - સ્પર્શ અનુભવે છે તેને બ્રહ્મસંસ્પર્શ થયો કહેવાય; સ્પર્શની અનુભૂતિ થઇ કહેવાય ." અત્યન્તમ  સુખમ " - જેનાથી મોટું કોઈ સુખ નથી તેવું સુખ બ્રહ્મસંસ્પર્શ થયા પછી મળે છે .સન્તોષથી મોટી કોઈ સમ્પત્તી નથી. આત્મ સુખથી મોટું ધન નથીં જ્ઞાનથી મોટો કોઈ વૈભવ નથી એવું સમજાય તે જીવન મુક્ત થઇ અનંત સુખને પામે છે .જેને સર્વ પરિસ્થતિમાં બ્રહ્મ દેખાય છે અનુભવાય છે; તે પરમ યોગી થાય છે .
      આગળના શ્લોકમાં જણાવે છે ; યોગમાં યોગસ્થ થવાથી તેનું જે ફળ મળે  અથવા સમજ ઉદભવે છે, તેનાથી યોગીને સર્વત્ર , બધે, બધામાં સમદર્શનરૂપ સમજ આવે છે . આ શ્લોકમાં કહે છે કે , યોગયુક્ત આત્મા એટલે કે યોગથી પરમાત્મા સાથે જોડાયેલ વ્યક્તિ , સર્વત્ર - સર્વ પ્રાણીઓમાં , માનવમાં, વનસ્પતિમાં ,જળસ્થળ આકાશ બધામાં જ સમદર્શન- સમદ્રષ્ટિવાળો આત્મા- વ્યક્તિ બને છે . અહીં આત્મા નો અર્થ યોગેસ્થ વ્યક્તિ તરીકે લેવાયો છે . બીજી વખતનો આત્મા શબ્દ ચિત્તના અર્થમાં છે . " સર્વભૂતસથમ" =બધા જીવ માત્રમાં "સ્થ"= રહેલો,'ચ"= તથા "સર્વભૂતાની "=સર્વજીવોને, "આત્મનિ "=પોતાનામાં; "ઇક્ષતે"= જુએ છે .કોમ્લીકેટેડ લાગે છે ?આપણે સમજવાનો પ્રયત્ન કરીએ . જેનું ચિત્ત પરમાત્મા સાથે જોડાયેલું હોવાથી તેનામાં સમ્યક્ભાવ- બધા માટે સમભાવ ઉદભવ્યો છે, તે વ્યક્તિને યોગયુક્ત આત્મા કહ્યો છે . તેનું મન- ચિત્ત બ્રહ્માકાર જ થઇ ગયું છે . બ્રહ્મની જેમ તેનું અંતર પણ નિરાકાર, અવિકારી થઇ ગયું છે. પ્રાણી માત્રમાં આત્મા એક જ છે તે સમજ એ જ સમદર્શનભાવ. આ ભાવથી સર્વ આત્માને ,પોતાના આત્મા તરીકે જુએ છે અને પોતાના આત્માને જ દરેક આત્મામાં જુએ છે ; તેને પરબ્રહ્મ પ્રાપ્ત થાય છે . 
    હજી સરળ વાક્યમાં સમજીએ . યોગયુક્ત અંત:કરણવાળી વ્યક્તિ, બધા જ પ્રાણીઓમાં સ્વયંને અને સ્વંયમમાં બધા પ્રાણીઓને રહેલા જુએ છે . પ્રત્યેક જીવમાં રહેલો આત્મા આપણને આત્મીયતા કેળવવા પ્રેરે છે . દાખલો આપું . રબારી ઘેટાં બકરાં પાળે , ક્ષત્રીય ઘોડા પાળે ગૃહસ્થી કૂતરાંકે બિલાડી પાળે. આ બધા જીવો સાથે આપણો  આત્મા કેટલી સહજતાથી તેઓના આત્મા સાથે લાગણીથી -પ્રેમથી એકાકાર થઈ જાય છે ! આપણને ઠંડી લાગે તો એમને પણ ઓઢાડીએ અને ગરમીમાં એ. સી. શરુ કરીએ . ગાય, ઘેટાં, બકરા ઘોડા માટે છાપરાવાળા , ઘાસથી છાવરેલા તબેલા, વાડા  રાખીએ .આવો જ આત્મભાવ સર્વ પ્રાણીઓ માટે જીવો માટે આવી જાય ત્યારે યોગયુક્ત થવાય . હિંસા ભાવ તો આવે જ નહિ . અરે ! ફૂલ તોડતાં પણ છોડને દુ:ખ થશે એવી લાગણી  થાય કારણકે વનસંપત્તિમાં ય  જીવ છે .અને એટલા માટે જ કહેવાયું છે કે પ્રભુના ભોગ ઉપર મુકવા તુલસીપત્ર ચૂંટતાં  પહેલાં તુલ્સીછોડની ક્ષમા માગીને ચૂંટવું .અહીં એ સમજાવવામાં આવ્યું છે કે , જે આત્મા - વ્યક્તિ -, યોગી, સર્વત્ર સમાનતા દેખે અને સમદ્રષ્ટિભાવ રાખે તે શ્રેષ્ઠ યોગી કહેવાય છે . 
      આમ કૃષ્ણ મનોવૈજ્ઞાનિક બનીને ,અર્જુનના મનને શાંત કરી બ્રહ્મમય થવા પ્રેરે છે અને સમદ્રષ્ટિ આણવાનો પ્રયત્ન કરે છે . છતાં યે હવે આપણે જોઈશું કે અર્જુન, જે અત્યારે વિદ્યાવાન  યોદ્ધો નથી પણ મોહગ્રસ્ત સામાન્ય માનવ જેવો છે , તે , હજી પ્રશ્ન કરે છે  અને એક સાચા શિષ્ય તરીકે ઉભરે છે .4થા અધ્યાયના  34માં શ્લોકમાં જણાવ્યું છે ; "પ્રણિપાતેન" પ્રણામ કરીને ; જે તો અર્જુને 2જા  અધ્યાયથી  જ શિષ્યત્વ  સ્વીકારીને જાહેર કર્યું છે ("શિષ્યસ્તે હમ શાધી મામ તવામ પ્રપન્નમ ",)અને "પ્રતિ પ્રશ્નેન " પ્રશ્નો પૂછીને જ્ઞાન પ્રાપ્ત કરવું . આ જ વાત ફરીને આગળના શ્લોકમાં આવે છે . 
    યોગ  એટલે પરમતત્વ સાથેનું અનુસન્ધાન , તે માટેના પગથિયાં એટલે , આસક્તિ વગરનું કર્મ  તે કર્મયોગ; તેવા કર્મયોગી થવા માટે યોગ-અનુસન્ધાન કેવી રીતે કરવું તે, આ અધ્યાયમા સંયમનું મહત્વ સમજાવીને જણાવ્યું છે. સમદ્રષ્ટિ, કપટરહિત, થઇ, મોહમાયાની, કામ-ક્રોધની લપેટને સંયમથી દૂર કરવા તે 
'આત્મસંયમ યોગ " 
         જય શ્રી કૃષ્ણ 

કેનેડાના સ્ટડી ગ્રુપમાં આપેલા વક્તવ્યો -2-શ્લોક-16-17-18

   આપણે 10થી 14 શ્લોકમાં યોગમાં બેસવા માટે શી અને કેવી તૈયારી કરવી તે , અને કેવી રીતે બેસવું તે જોયું .પછી 15માં શ્લોકમાં મન:સ્થિતિ કેવી હોવી જોઈએ તે જોયું . જેમ કે જે વ્યક્તિ ચિત્તને સદા બ્રહ્મ સાથે જોડાવાની લગની રાખનાર,તથા એ ચિત્તને "નિયત માનસ :" એટલે વશમાં રાખનાર છે; તે મારામાં રહેલી "મતસનસ્થાનમ" મોક્ષરૂપી "નિર્વાણમ પરમામ"પરમ શાંતિને પામે છે "અધી  ગચ્છતિ " 

     હવે, આગળ 16માં શ્લોકમાં ચિત્તને વશમાં રાખવા શું કરવું જોઈએ તે આવે છે .અત્યાર સુધી ધ્યાનમાં કેવી રીતે , કઈ મન:સ્થતિમાં અને ક્યાં બેસવું તે જણાવ્યું. એ થયો ધ્યાન યોગ . હવે આવે છે; આત્મસંયમ .
સૌ પ્રથમ, આપણી અગત્યની ટેવ ઉપર સંયમ જાળવવાનું કહ્યું છે . આપણે જાણીએ છીએ કે શ્લોક 4 ચરણનો હોય છે . આ શ્લોકના પહેલા જ 2 ચરણમાં જણાવે છે કે "ન +અતિ +અષનત ' એટલે કે અતિશય ખાવું નહીં . આ અ श्न  શબ્દ આપણે 5માં અધ્યાયના 8માં શ્લોકમાં પણ વાંચ્યો છે "નૈવ કિંચિતકરોમિતિ ,યુક્તો મનવેત તત્વવિત ;પશ્યં શૃણ્વન સ્પૃશન  જિઘનન અશન  ગચ્છન સ્વપ્નન શ્વશન " અતિ ખાવું નહીં .તેમજ "એકાન્તમ અનશન " એટલે કે બિકુલ ન ખાવું .આવા લોકોને "યોગો ન અસ્તિ " યોગ પ્રાપ્ત થતો નથી . તે જ રીતે , અતિ સ્વ્પ્નશીલ એટલે કે ઊંઘનારને પણ યોગ પ્રાપ્ત થતો નથી . આ સ્વ્પ્ન શબ્દ પણ પહેલા આવી ગયો છે . ઊંઘ માટે સ્વ્પ્ન વાપર્યો છે; કારણ કે તે ઊંઘમાં જ આવે . સઁસ્કૃત ભાષાનું આ સૌંદર્ય છે ;અને વ્યાસજીએ એ સુંદરતાને અહીં વણીને તેઓની કાવ્ય રચનાની પ્રતિભાનુ  પ્રમાણ પણ આપ્યું છે . 
એ જ રીતે આગળ કહે છે "અતિ જાગ્રત " વધુ પડતું જાગનાર પણ યોગને પામતો નથી . હવે જોઈએ , અતિ ભોજનથી શું થાય ? અજીર્ણ. જેમ જેમ અજીર્ણ વધે તેમ તેમ કામેચ્છા વધે ; અને એના અસંતોષથી ક્રોધ ઉત્પ્ન્ન થાય . અને એક વખત કદાચ કામ પામી પણ જાય તો વધુ માટે લોભ ઉત્પ્ન્ન થાય . માટે અતિ આહાર વર્જ્ય છે . 
      આગળ જોઈએ, બહુ જ ઓછું ખાવાથી કે ન જ ખાવાથી અશક્તિ આવે અને તેથી તમસ તમસ  તથા તામસી ગુણમાં વૃદ્ધિ થાય .માટે , "અતિ સર્વત્ર વર્જયેત ".    કહેવાય છે કે ,-
"અતિ કા  ભલા ન બોલના ,અતિ હી ભલી ન ચૂપ ;
અતિ કા  ભલા ન બરસાના , અતિ કી ભલી  ન ધૂપ " 
વધુ પડતું બોલવાથી ક્યારેક અજુગતું બોલાઈ જવાય તો સંબન્ધોમાં હાનિ થાય . વળી જ્યાં બોલવું જરૂરી હોય ત્યાં ન બોલીને પણ કાર્ય નિષ્ફ્ળ થાય કે સંબન્ધ  બગડે . વધારે પડતાં ભલા ,દયાળુ કૃપાળુ પણ ન થવાય . એનો ગેરલાભ લેવાય અથવા મૂર્ખ બનાય. વધુ પડતું કઠોર પણ ન થવાય. એથી થતા કામ પણ ક્યારેક બગડે . શેઠ નોકરનો સંબન્ધ  બગડે. અને કુટુંબમાં પણ નારાજગી ઉદ્ભવે .માટે દરેક બાબતમાં સંતુલન રાખવું . આ જ વાત આપણને 16માં શ્લોકમાં કહી છે . બધી રીતે સમત્વ- સ્ન્તુલન રાખી  શકે તે વ્યક્તિ યોગ માટે બેસવાને લાયક બને છે . જીવનવિણાના  તાર બહુ કસવાથી  કે  બહુ ઢીલા રાખવાથી સુર સરખા નીકળતા નથી .
    હવે 17માં યુક્ત આહાર-વિહાર વિષે આવે છે . યુક્ત એટલે યોગ્ય. "યુક્ત ચેષ્ટા કર્મસુ " યુક્ત= યોગ્ય, ચેષ્ટા= રીતથી કરેલા , કર્મસુ = કર્મોમાં તથા " યુક્ત +સ્વપ્ન +એવ+ બોધાય " યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર , ( સ્વપ્ન ઊંઘ માટે વપરાય છે; એ હવે આપ સૌ જાણો છો ) તેમ જ "બોધાય " = જાગનારને "દુ:ખ+હા " દુ:ખનો નાશ કરનાર ,"યોગ ભવતી " યોગ સિદ્ધ થાય છે . એટલે કે ધ્યાન ધારણાથી , ઈશ્વરીય તત્વ સાથેનું જોડાણ સિદ્ધ થાય છેવ . યોગનું ધ્યેય તો જોડાણનું જ છે ને ? 
    આ, યોગ્ય આહાર-વિહાર , ઊંઘ કે જાગરણ કોને કહેવાય તે જોઈએ . તો દરેક વ્યક્તિએ ,પોતાની શારીરિક પ્રકૃતિ,(વાત, પિત્ત અને કફ ) આબોહવા, અને રુચિ જોઈ, સમજીને આહાર નક્કી કરવો .પાચન શક્તિને અનુરૂપ . મનને દબાવ્યા વિના ,સહજ અનુભવના આધારે નિત્યક્ર્મ ગોઠવવો જોઈએ .ખોરાકની સમતુલા માટે કહેવાયું છે કે ," જઠરનો અર્ધો ભાગ ભોજનથી ભરવો, બાકીના અર્ધામાંથી  અર્ધો પાણીથી ભરવો અને બાકીનો જે પા ભાગ બચે તે વાયુ માટે છોડવો,તો જ પચન માટેની , ચયાપચયની ક્રિયા માટે જગ્યા રહેશે " આપણે વલોણું કરીએ ત્યારે પણ છાશનો ગોળો પોણો જ ભરીયે છીએ ,જેથી વલોણું બરાબર થાય .  હવે વિહાર તરફ વળીએ .  વિહાર એટલે ચાલવું . જૈનોના મહારાજ સાહેબ જયારે જયારે એક સ્થળેથી બીજે સ્થળે જાય ત્યારે વિહાર કરે છે એમ કહેવાય છે . આ વિહાર કેટલો કરવો જોઈએ ? એક દાખલો આપું . એક માણસ બહુ જ ખાતો હતો. તેને પૂછ્યું, :ભાઈ, આટલું બધું કેમ ખાવ છો ?"તો કહે " હું બહુ ચાલુ છું ને તે માટે શક્તિ મેળવવા "   "તે તમે એટલું બધું કેમ ચાલો છો ? તમારું કામ એવું છે જેમાં બહુ ચાલવું પડે ? " જવાબ મળ્યો," અરે નારે , આ તો આટલું ખાઉં પછી એ પચાવવા ચાલવું તો પડે ને ?" આમ અતિ હાર અને એને લીધે અતિ વિહાર ; એમ વિષચક્ર ચાલ્યા કરે . એટલે શાસ્ત્રમાં જણાવ્યું છે કે એક સાથે 2 કોસથી વધુ ન ચાલવું . 1કૉસ એટલે 1.8 માઈલ . એટલે કે લગભગ 5 માઈલ થાય .એક વખતે એટલું જ ચાલવું .માટે મોટા ભાગે  ચાલવાની મેરેથોન 5 માઈલની હોય છે .ભગવાન બુદ્ધને પણ  કષ્ટયુક્ત તપ કર્યા પછી અતિરેક વ્યર્થ લાગ્યો હતો . યોગમાર્ગમાં સન્તુલનનું મહત્વ છે .અચલમ સ્થિર  અને અર્ધ નિમિલિત આંખોમાં પણ આ જ સ્ન્તુલન શીખવ્યું  છે .સન્તુલન  ખોરવાય તો બધું જ ખોરવાઈ જાય . 
         આગળ, 18માં શ્લોકમાં સાધક ક્યારે યોગસ્થ થયો કહેવાય તે જણાવ્યું છે ."યદા "= જ્યારે "વિનયતમ"=અત્યન્ત વશ કરેલું . નિયત એટલે વશ કરેલું એની આગળ "વિ " ઉપસર્ગ લાગ્યો તે વિશેષ પણું બતાવે છે જો "ન નિયત " હોય તો નકાર નો અર્થ લેવાય . શું વશ કરેલું ? તો, ઈન્દ્રીઓ, વિષયો વશમાં કરી તેનાથી મુક્ત થયેલ વ્યક્તિ.વશમાં શી રીતે કરવી તે કહેવાય ગયું છે. દ મીને નહિ પણ સમજીને . પછી આવે છે "ચિત્તમ+આત્માની +એવ+અવતિષ્ઠતે " ચિત્ત = ચિત્ત, આત્માની =પરમાત્મામાં એવ =જ,અવતિષ્ઠતે=સારી રીતે સ્થિર થી જાય છે ; ત્યારે તે વ્યક્તિ પરમાત્મામય "સર્વ કામેભ્યઃ"=સંપુર્ણરીતેકામનાઓથી "નિસ્પૃહ "=સ્પૃહા રહિત થી ,"યુક્ત "=યોગ સાથે જોડાયેલો "ઇતિ" =એમ "ઉચ્યતે "= કહેવાય છે .આખું વાક્ય આમ થશે ,'જ્યારે અત્યન્ત વશ કરેલું ચિત્ત પરમાત્મામાં જ સ્થિર થઈ  જાય છે ત્યારે સર્વ કામનાઓથી નિસ્પૃહ બની સ્પૃહા રહિત થયેલ વ્યક્તિ યોગ સાથે જોડાય છે, એમ કહેવાય છે .
    આમ, આ 3 શ્લોકોમાં મન:સ્થિતિ કેવી રાખવી, તથા શારીરિક સ્ન્તુલન  વિષે સમજાવ્યું છે . અહીં પણ આપણે જોઈએ છીએ કે કૃષ્ણ કેવી રીતે એક પછી એક પગથિયાં ચડાવે છે . ગીતા , મોક્ષની-મુક્તિની-, પ્રભુના મિલન માટેની સીડી છે .દરેક અધ્યાય આ સીડીના પગથિયાં છે તથા દરેક શ્લોક, એ પગથિયાંના કઠેડા છે જેથી લપસી ન પડાય ,વ્યાસજીએ કેટલી સહજતાથી અને સરળતાથી સમજાય એ રીતે આ ગ્રન્થની રચના કરી છે ! કે આટલા વર્ષો ,યુગો વહી ગયાં , પણ , ગ્રન્થમાં જણાવેલી વાતો, જ્ઞાન, સમજણ તેમ જ ગ્રન્થની  ગરિમા, અસ્મિતા ગૌરવ અને મહત્વ જેમના તેમ લીલાંછમ  છે .ઝળહળતાં  ! માનવીને દરેક પ્રકારની રોશની આપતાં  પૂર્ણ જગતમાં ઝળહળ ઝગમગે છે . 
                   જય શ્રી કૃષ્ણ 

ગીતા સ્ટડી ગ્રુપમાં આપેલાં વક્તવ્યો -1-અધ્યાય 6 શ્લોક 11-12-13

 




     જય શ્રી કૃષ્ણ 
આપણા આ સ્ટડી ગ્રુપમાં મને જોડીને અને આજે થોડા શ્લોકોનું વિશ્લેષણ કરવાનો મોકો આપ્યો તે માટે સૌનો આભાર .
    ગીતાજીમાં ,આ, 6 અધ્યાયને આત્મસંયમ યોગ નામ આપ્યું છે . આનું બીજું નામ ધ્યાન યોગ પણ છે . હવે, આ ધ્યાનનો અર્થ શું ? તદ્દન સામાન્ય રીતે જોઈએ. આપણે હમેશાં  આવાં વાક્યો બોલતા હોઈએ છીએ ."જરા ધ્યાન રાખીને કામ કરજો ,ધ્યાન રાખીને બોલવું , તમારી તબિયતનું ધ્યાન રાખજો " વિગેરે. તો એ સમયે ધ્યાન શેનું ? તો, કાર્યનું કે તબિયતનું . જે રીતે આપણા કાર્ય ઉપર કે વાણી ઉપર કે શરીર સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવાની વાત કરી છે ; તે જ રીતે પોતાના આત્માનું ધ્યાન રાખવાનું છે . આત્મા,  આ શરીર-વૃક્ષનું બીજ -થડ છે . જેમ આપણે ગાર્ડનમાં વૃક્ષના સડેલાં પણ, સૂકી ડાળી દૂર કરીને વૃક્ષને જાળવીએ છીએ ,તે જ રીતે આ આત્માનું સંયમ દ્વારા ઉન્નતિ માટે ધ્યાન રાખવાનું છે .
    આ અધ્યાયમાં એ  સમજાવ્યું છે,અને એને માટે સંયમ, મન ઉપર અને ઈન્દ્રીઓ ઉપર કેળવવાનો છે . એ થાય પછી જ ધ્યાનમાં મગ્ન થવાય .સૂર્યોદય થતો જોયો છેને ? આકાશના કોઈક એક ખૂણામાંથી પ્રભા પ્રસરે છે અને પછી ધીરે ધીરે જગતના ખૂણે ખૂણે પહોંચી જાય છે ; અંધકારમાંથી અજવાળા તરફ જતી આ ક્રાંતિ દ્રશ્યમાન છે; એ જ રીતે એવી ક્રાંતિ ,આપણી અંદરથી -ભીતરથી લાવવા માટે , ગીતાજીમાં પગથિયાં બતાવ્યા છે . મન તું ભીતરને અજવાળ. હિમાલયના શિખરે પહોંચવા જેમ સ્થળે સ્થળે બેઝ કેમ્પ હોય છે એ જ રીતે અહીં "સાંખ્ય યોગ"થી શરૂ કરી આત્મા નું જ્ઞાન અને પછી કર્મનું જ્ઞાન આપ્યું . ત્યાર પછી ના અધ્યાયમાં કર્મના સમર્પણનું અને પછી સમર્પણની ઈચ્છાના ત્યાગનું જ્ઞાન આપ્યું .
     આટલું જાણ્યા પછી, અર્જુન હવે વધુ જાણવાને  ઉત્સુક થયો છે , આરુરુક્ષ થયો છે  એ કૃષ્ણે જોયું, એટલે એ પરમ સખાએ આ અધાયમાં યોગારૂઢ થવા માટે શું કરવું જોઈએ તે સમજાવવાનું શરૂ કર્યું .10 અને 11માં શ્લોકમાં આપણે જોયું કે ધ્યાનથી પ્રભુ સાથે જોડાવા માટે કેવી જગ્યા હોવી જોઈએ, કેવું આસન હોવું જોઈએ, કેવી મન;સ્થિતિ હોવી જોઈએ. અતિ ઊંચી કે અતિ નીચી જગ્યા નહીં ,પણ, બેસવા ઉઠવામાં પણ સહુલિયત (કમ્ફર્ટ) રહે તે જગ્યા શોધવી. પહેલાના જમાનામાં નદી કિનારે કે જંગલમાં જતા. ત્યાં જમીન ઉબડ ખાબડ હોય તેને વ્યવસ્થિત કરી ઓટલા જેવું સ્થાન બનાવતા, અથવા એવો પથ્થર કે જેના ઉપર આરામથી બેસી ઉઠી શકાય એવું સ્થાન તૈયાર કરતા . એની ઉપર દર્ભ કે મૃગચર્મ પાથરતા .મને એક વિચાર આવ્યો કે  મૃગચર્મ કેવી રીતે પવિત્ર ગણાતું હશે ? મૃત શરીરની ચામડી શી રીતે વપરાય ? પછી ધ્યાનમાં આવ્યું કે એ જમાનામાં ઋષિ-મુનિઓ માંસાહારી હતા, અને મૃગ નો શિકાર બહુ થતો;તેથી આસાનીથી મળી રહેતા હશે  વળી બીજું કારણ એ ઠંડી અને ગર્મી માંટે સમ વાહક હોવાથી પથ્થરથી સુરક્ષા પણ થાય . વળી એ પણ યાદ રાખવા કે મૃગ જેવા સુંદર પ્રાણી પણ અંતે  નાશ પામે છે .  તો આ શરીર પણ નાશવન્ત છે . ઘાસ અને દર્ભ કરતા સુંવાળું પણ હોય જેથી પણ લાંબો સમય બેસવામાં સારું રહે . .ખેર ! આગળ વધીએ. આપણે ગણપતિ ઉત્સવમાં કે નવરાત્રી દરમિયાન ઘરમાં મૂર્તિ પધરાવવા પણ આવું જ આસન તૈયાર કરીએ છીએ . જમીનથી થોડો ઊંચો પાટલો કે બાજોઠ અને તેની ઉપર રેશમી વસ્ત્ર પાથરી ને મૂર્તિ ની એની ઉપર સ્થાપના કરીએ છીએ ; તે આજ નિયમ, જે , 11માં શ્લોકમાં દર્શાવ્યો છે , તેને આધીન છે . 
   હવે વિચારીએ કે સ્થાન ઉપર પગ વાળીને  શા માટે બેસવાનું ? વિજ્ઞાનના નિયમ મુજબ ધરતી વીજળી વાહક છે (ઇલેકટ્રીકસીટી કન્ડકટર )છે;જે ગ્રેવિટેશનલ નિયમન આધારે  ,ધ્યાનમાં બેઠા પછી મન્ત્રોચ્ચારથી જે ઉર્જા મળે તે ધરતી માં ન ખેંચાઈ જતાં પોતાનામાં જ રહે . માટે જ જે સ્થાન તૈયાર કર્યું હોય , જંગલ,નદી કે ઘર; તે સ્થાન ઉપર દર્ભ, ઘાસ કે રેશમી વસ્ત્ર --જે બદ્ધાં જ વીજળીના અ  વાહક છે --પાથરવામાં આવે છે . અને જો પગ નીચે રાખીને બેસવું હોય તો પગ નીચે ઊનનું આસન કે ચટાઈ (જે એક પ્રકારના ઘાસમાંથી જ બની હોય છે )રાખવું . અહીં પરદેશમાં કદાચ દર્ભ વિષે માહિતી નહીં હોય ,પણ, વૈષ્ણવજન અને આજથી પચાસેક વર્ષ પહેલાં ; ગ્રહણ વખતે અનાજના ડબ્બામાં , કબાટ (ક્લોઝેટ)માં દર્ભ મુકવામાં  આવતું , જેથી ગ્રહણ વખતના જીવાણુ (માઇક્રોબ્સ) એમાં જાય નહી.
        આમ 11માં શ્લોકમાં આ જણાવીને , આવા તૈયાર થયેલા આસન ઉપર મનને એકાગ્ર-પ્રભુ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત થઈને ; મન અને ઈન્દ્રીઓ ઉપર કંટ્રોલ કરીને ; આમતેમ ભટકવા ન દઈને બેસવું ;તે 12માં શ્લોકમાં જણાવે છે . "એકાગ્રમન: કૃતવા,યતચીતતેન્દ્રિય ક્રિય:"નો અર્થ એ થયો કે અંત:કરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ શરૂ કરવો . જ્યારે ચિત્ત-મન- અને ઈન્દ્રીઓ વશમાં આવે ત્યારે એકાગ્ર થવાય . આ મન અને ઈન્દ્રીઓ માંકડા જેવા છે , ઉછળતા કૂદતાં ફરે છે .  તોફાની બાળકને મારીને કે ધમકાવીને વશ ન કરાય . એને પુચકારી, લાડથી થપકીઓ આપી ,સમજાવીને વશમાં કરાય , અથવા રડતા બાળકને થપકીઓથી શાંત પાડીએ તે રીતે ઈન્દ્રિયોનું પણ દમન ન કરાય એને ધીરજથી સમજીને વશમાં કરવી .
 હજી આગળ 13-14માં શ્લોકમાં બેસવાની રીત બતાવી છે . "સંમકાય શિરોગ્રીવ "સમમ એટલે એકદમ સીધા બેસવું .કરોડરજ્જુને વળાંક આપવો નહીં .એમ પોટલાની જેમ બેસવાથી રજ્જુમાં રહેલી ઇડા  અને પિંગલા અને સુષુમ્ણા નાડીઓ  સીધી ન રહેતા , તે સારી રીતે ક્રિયાશીલ(એકટીવ) થતી નથી .સિદ્ધિ, ટટ્ટાર હોય તો , મેળવેલી ઉર્જા ગ્રહણ કરી શરીરના બધા ચક્રોમાં પહોંચાડે . વળીને બેસવાથી ઉચ્છશ્વાસ દ્વારા પણ નીકળી જાય છે . માટે ટટ્ટાર બેસવું જોઈએ . 
    "શિરોગ્રીવ". આમાં કહે છે કે શિર -મસ્તક -માથું ઊંચું  રાખવું . દાઢી ગળામાં ન હોવી જોઈએ . એનાથી પણ , એ જ રીતે ઉર્જાનો નાશ થાય છે .તો ડોક કેટલી ઊંચી રાખવી ? મેં ક્યાંક વાંચ્યું છે કે ડોક 45 ડિગ્રી ઉંચી રાખી ટટ્ટાર બેસવું જોઈએ ;જેથી ગળું પણ આપોઆપ સીધું રહેશે .
   પછી કહે છે "અચલમ સ્થિરમ " હલ્યા વગર.- અ ચલ બેસવું. કેટલીક વાર આપણે મન્ત્રોચ્ચાર કરતા કરતા આગળ પાછળ અથવા ડાબે જમણે ડોલીએ  છીએ , એવું ન કરવું. તે થી નકારાત્મક ઉર્જા આવે છે . માટે અચલ સ્થિરમ કહ્યું છે. ત્યાર પછી આંખ  ક્યાં ઠેરવવી એ જણાવ્યું છે." સઁમ્પ્રેક્ષ્ય નાસિકાગ્રમ "નાકના અગ્ર ભાગને જોતા. અહીં બે મત છે . કેટલાંક નાકના ટેરવાને  અગ્ર - આગળનો ભાગ કહે છે તો કેટલાંક બે ભ્રમરની વચ્ચે ,જ્યાથી નાક શરૂ થાય છે તેને અગ્ર ભાગ મને છે .. પણ મૂળ અર્થ એ છે કે આંખ પૂર્ણ બંધ કરવી નહીં . જો ટેરવું લઈએ તો , એ અર્ધનિમિલિત -અડધી બંધ અને જો ઉપરનો ભાગ લઈએ તો -ભ્રમર વચ્ચેનો - તો અર્ધ ઊનમિલિત  અડધી ઉંઘાડી  આંખ, એમ થાય . પણ પૂર્ણપણે બંધ તો નહીં જ . શા માટે આવું ? એનું કારણ છે . કેટલીક વખત આપણા મન્ત્રોચ્ચારના રટણથી  ધ્વનિ રણકાર થાય  છે અને એ એક સરખો રણકાર ક્યારેક હાલરડું બની જાય તો ઊંઘ આવી જાય ! પણ ,જો અર્ધ ખુલ્લી કે બંધ રાખવાની હોય તો ઑટમૅટિક  સતર્કતા આવી જાય ;જે આંતરિક હોય; પ્રયત્ન વિનાની  . વળી, આમ બેસવાથી આજુબાજુનું અવલોકન ન થાય . આજુબાજુ દ્રષ્ટિ ન ફરે તેથી ચિત્ત-મનનાં  ઘોડા આમતેમ દોડી ન જાય . ઘોડાની આંખે ડાબલા બાંધે છે ને એમ અર્ધ આંખ મનના ઘોડા માટે ડાબલાનું કામ કરે છે . 
       મારે આજે 14મોં શ્લોક લેવાનો નથી પરંતુ તે પણ આના અનુસંધાનમાં જ છે . મનને શાંત શી રીતે રાખવું વિગેરે. ધ્યાનમાં લીન શી રીતે થવાય તે વિષે એક વાક્ય મારી જાણમાં છે " સતુ દીર્ઘકાલ નૈરત્યરમ ,સત્કારા સેવિતઓ દ્ર્ઢભૂમિ"  લાંબા સમય સુધી નિરંતર  અભ્યાસ અને દ્રઢતાથી ધ્યાનસ્થ થઇ શકાય છે . 
      આટલેથી વિરમુ  વક્તવ્ય પૂરું કરું છું . જય શ્રી કૃષ્ણ 

નવીન વર્ષ --જીવનનું અને જગતનું


આયુષ્ય એટલે એક કિતાબ ,
અને ઉંમર ,તેનાં  સોનેરી પાન ;
પાછલા સંદર્ભોનું  રાખી ધ્યાન ,
મહેકાવીએ  જીવન ઉદ્યાન ! 

વીત્યાં વર્ષોનો માની આભાર ,
નવા વર્ષનું કરીયે જતન ,
નીવડે સુખી આવતાં  દિવસો ને વર્ષ ,
કરી પ્રભુનું નિત્ય સ્મરણ ! 
                           ??

પનઘટ- મરઘટ

  


કાચી રે માટીમાંથી ઘડ્યો એક મઝાનો ઘટ ,
એની રે ભીતર મેલ્યો આંતરદીપ ઝગમગ ! 
લાગી કાળખ  અંતરે ,ને અણધાર્યો એ ઘટ ,
વહી ચાલ્યો નિર્મલ  થાવા, પનઘટ પર એ ઘટ .
ધોવાં  દર્શન-નીરથી એ ઘેરાં  કાળખ ;
બુડી  બુડી  દર્શન-રટમાં  રમી રહ્યો એ ઘટ .
 કાળખ  કોરાણે ગયું ,ને ઊજળી  ઉઠ્યો ઘટ ,
ત્યાં યમ તણા  ધક્કાથી પહોંચી ગયો મરઘટ ! 
ફૂટ્યો, જાતાં  પહોંચતાં ,પનઘટથી  મરઘટ ,
ઘટાકાશ બની ગયું ,વ્યાપતાકાશ ,છોડી ઘટ ! 

જોઈ યાત્રા , સમજી "બેલા" મરમ  બે ઘટનો .
સત્ય છે બ્રહ્મઘટ ,ને, મિથ્યા  છે જગઘટ . 
                                           4\1\2023
                                             4.40.પી.એમ. 

એક પ્રશ્ન


અલખના ધણી ! તને પૂછું એક જ વાત ,
શાને રાવડાવે ભૂલોકની તારી આ જમાત ! ? 
શી ખોટ છે તારે ? તારા ભર્યેપૂર્યે  ધામ ?
બેસે વહેંચવા ,તો, વહેંચે આખું ધામ ! 

સુદામો ને દ્રૌપદી , પામ્યાં  પરમ -પ્રેમધાર ! 
નરસૈયોં  ને મીરાં તો , તરી  ગયાં ભાવ પાર  ! 
"બેલા"ને તો ધરવી, આપી સુગંધ અપાર ! 
તો યે  શાને રાખી અળગી તુજથી મારા નાથ ! ?
                                            21\12\202
                                                 11.30. પી.એમ. 

मन चीझ क्या है ?



 मन चीझ क्या है , कुछ समझ न आये ,
कभी तितली बन उड़े , कभी भ्रमर बन  गुनगुनाये ;
कभी मधुमक्खी बन पुष्प से लिपट रसपान   करे ,
कभी हवा का झोंका बन ,आसमान पे लहराए ;
"बेला", छोड़ सोचना , और संग अनिल के -
मेहकाती  चल , हર  जीव के प्राण सारे  ! 
                                    २२\१२\२०२२ 
                                           ५. ४० ए एम 

बे रंग जीवन

 



जिस दिल में छुपा के रक्खा तुम्हें ,
वो दिल तो टुकड़े टुकड़े हुआ ;
अब कैसे, कहाँ मिले तुम से ,
ये सोचते सोचते डूब  गया ! 

माना की कठिन है पाना तुम्हें ,
मैंने फिर भी बहोत यत्न किया ,
पर न जाने किस कारण से 
तूने छल से कनारा किया ? ! 

मिल गए जिसे तुम , भाग उस के खील गये ! 
मैं अभागी, क्यों न अपना तुम्हें  कर पाया ?! 
"बेला"फूल की माला सुखी ,और दिये  आस के बुझ गए ! 
अब रो रो कर जीवन बेरंगी यूँही बीता जा रहा ! ! ! 
                                              ??

एक समर्पण




प्रभु ! तूने दिया है , ये मखमली परिवार ,
धन धन भाग हे सुंदर श्याम ! हमार ! 
जा के संग जीवन में है हरपल त्यौहार ! 
कर  कृपा, मिलते रहे , सदा ये प्यार-दुलार ;
गुनगुनाते रहे यूँही ,हर पल हर साल ,
चरण पे तेरे लाई ,बिनती भरा "बेला"का हार ! 

साप्ताहिक "गीतमाला" के गीतों के ध्वनि से गूँजनेवाली सभा को समर्पित। 

प्यारका झरना


 

तेरे प्यार का झर झर  झरना बहता ,
मैं  अभागी, खाली हाथ ,इस पार बैठा !
कैसे पाऊँ  तेरे प्यार की धारा ?
हाथ थाम; ले जा उस पारा !
                               २८\११\२०२२ 
                                    ११। २० ए। एम 

नज़र क्युं फेर ली ?



श्याम ! नज़र क्यूं  फेर ली ?
बार बार आवाज़ दे हारी ! 
इस संसार की मायाजाल में 
फसा के तू मुस्कुरा रहा है,
क्या करूं  मैं  ,थकी हारी ;
श्याम ! नज़र क्यूं  फेर ली ?
बिना तेरे प्यार के सिंचन से 
"बेला" गई मुरझाई,
अब तो देख ले मुरलीधारी ,
श्याम ! नज़र क्युं फेर ली ?
                          १८\११\२०२२ 
                               १०. ए एम 

અનેરા દાન



કંઈક વરસોથી વાટડી જોતી ,વાટ  ખૂટાડી દે ને !
તરસી આંખો ને તરસ્યા દિલની તૃષા મિટાવી દે ને !

કરમોની  ગતિ અજાણી ,કરમ  ખૂટાડી દે ને ! 
ભવાટવિની વાંકડી કેડી , પથ સુઝાડી દે ને ! 
મંગળમય દરશન  દેવા ,તારાં દ્વાર ઉઘાડી દે ને ! 
અંતરથી અંતરમાં રાખીને અંતર મિટાવી દે ને !

લાવી "બેલા"ફૂલની છાબડી ,એને સ્વીકારી લે ને ! 
ચરણ-સ્પર્શ ને ચરણધૂલિનાં દાન  અનેરાં દે ને ! ! ! 
                                            3\11\2022
                                                 ११. पी एम

मुरलिया



मुरलिया न छेड़ श्याम ! मोरी नींद चुराई लेती !
काहे करे मो पे जुलम, तोहे लाज क्यों न आती !? 
जमुना जल भरना बिसर हु जाती ,
गैया रहत चार बिन, मोरे घर-काज सब भूल जाती !

मुरलिया ना छेड़  श्याम, ओ  हरजाई !
"बेला"बिनती कर  कर  हारी कान्हाई ! ! 
                                        ??

બિરહા



થીજેલાં ઊર્મિ-તરંગો વહ્યાં અશ્રુ સાથે ,
દીઠી જયાં  ચાંદનીને ,વિરહની અંધારી રાતે ;
શારડીએ વીંધ્યું હૃદય ,ઊંડા  જખમ  સાથે ,
વલોવી વીલક્ષણ વ્યથા,સ્મરણોની સાથે .

તૃષ્ણા છીપાવું એ આશ, આ બેરહેમી સાથે,
પહોંચું તુરિયાવસ્થાએ,સમાધિ સાથે ;
શી રીતે વર્ણવું દુ:ખાલમ ,બેહદ વ્યથા સાથે ?
જરા થમ્ભો તો ,વહાવું એ નયનવારી  સાથે ! 
                                              ??

કોણ?



સિંહ, વાઘ ને કોયલ બુલબુલ,પતંગિયા ને તમરાં ,
આભે ચમકે ,સૂર્ય, ચન્દ્ર તારા ,અહીં આગિયા ભમરા ! 

રાડ ત્રાડ  ને લાડની સાથે ,મોરપીંછનો સુર 
સંતાકૂકડી રમતો રમતો રહે નજીક ને દૂર !                       

અજવાળાના કાંઠા વચ્ચે ,અંધારાની નદી વહે ,
એમાં મારી હોડીને આ , હંકારે ,કોણ તું જ કહે ! 
                                                     ??

વેન્કટના 50માં જન્મદિને

 


ચેતન શું ઊભર્યું  ,! આ અવની પરે !,
અર્ધ શતક વીતી ગયાં  અલ્પ સમયે ! 
પ્રિય જિન્દગી વિતાવી સુખના સંગે ,
પ્રભો ! સદા રહે એ નિરામય, શાંત ચત્તે,
વિરબાળા, હું ,આનંદે વિરમું ; એ આશિષે ! 
                                      11\10\2022

સોનલની 50ના 50માં જન્મદિને



સુવર્ણ સમ વર્ષો વીત્યાં, ભાવિ પણ સુવર્ણમયી આવે ,
સુવર્ણ -કાંચન ભર્યા હાસ્ય, સદા આયુષ્યભર પામે .
                                                    8\8\2021 

જન્મદિનની આરઝૂ


હટાવ્યાં કેટલાંય  કાંટા, હજી યે  ખૂટયાં નહીં !? 

વટાવી 85 કાંટાળી કેડીઓ ,શામળા ! 
તો ય હજી કેટલી કેડીઓ  કાંટાંવાળી ?

ઘૂમરાણી ,મારગ કેટલો દૂર, શામળા ?,
રટું , તુજ મારગ જો મળી જાએ ,
તો ,દીએ  દિલને  અજ્વાળી અજ્વાળી !
હે શ્યામલ શામળા ! "બેલા "ને તો 
એક જ આશ તારી .
                               25\9\2022 5.45 એ.એમ. 

नवरात

 


आंबे माँ गब्बरवाली,सब की माता है  प्यारी,
आई है तेरी रात मतवाली | 

तेरी सखियाँ  हैं  काली,दुर्गा ,बहुचर निराली ,
एक है पावगढवाली, दूजी है कटरावाली ----आई है तेरी 

ऊँचे परबत पे बैठी , माता किरपावली ,
नवरात सोहे मैया, सोलह सिंगारवाली ----आई है तेरी 

तेरी पूजा में रत है , हम सब नरनारी,
कम कम गुलाल और दिये से उतारे है आरती ----आई है तेरी 

"बेला"भी आई, ले के अपने फूलों की  थाली, 
मात जगा दो ज्योति , बिनती करे, आशावाली 

आंबे माँ गब्बरवाली, सब की माता है प्यारी,
 आई है रात मतवाली 
                                   २५\९\२०२२ 
                                       ४. ए।  एम. 

સંપૂર્ણ નવ (9)

  


મારે મૈત્રી તો છે ,મારા શ્યામની રે ,
નહીં બધા કોઈ અંતરપટની રે .
મારી રીતિ , નવધા આરાધનાની રે ,
નવ ગ્રહે, નવકાર, નવ રાતની રે .
તવ કૃપા પામું નવ આંકની રે ,
પ્રેમે પ્રસારું નવનિધિથી રે .

વહેંચું વહેંચું તો યે મુજની રે ,
"બેલા" ફેલાવે ફોરમ  કૃપાધીશની રે .
                             ઓક્ટોબર \2020 

મિત્રો, નવના આંક જેવી હોવી જોઈએ . સંપૂર્ણ આંકડો છે .નવ(9) સુરક્ષિત રહીને બીજાને ઘણું આપે છે . 
માટે નવના આંકડાનું મહત્વ છે .નવ ગ્રહો, નવ રાત્રી , નવકાર મન્ત્ર ,રામનવમી , નવનિધિ 
અને નવધા ભક્તિ . આપણે માંડણ  કરીયે .
9*1=9, 9*2=18=9,  9*3=27=9   9*4=36=9,    9*5=45=9,   9*6=54=9,    
9*7=63=9,     9*8=72=9,     9*9=81=9,     9*10=90=9 
    આમ, નવનો આંકડો અક્ષત રહી બીજાને ઊંચે ચડાવે છે . 

लोरी

  


आ जा मेरे लाल, तुझे पलने में सुलाऊं ,
मैना तोता चिड़िया से साज सजाऊँ --आ जा मेरे 
रुनझुनती घूघरियाँ और रेशम की डोर,
पलने में झूले  लल्ला ,नंदकिशोर ---आ जा मेरे 

फूल से पलना सजाऊँ,मीठी मीठी लोरी गाउँ ,
मुंड आँख हरि !तुझे सपनो में ले जाऊँ ;
खेलो चाँद -तारा के संग परिओं  का रथ बुलाऊँ ,
यही सुख की घड़ियाँ  है ,बचपन पे वारि जाऊं ---आ जा में रे 

भोर भये आते आते ,शबनम से बगियाँ  सजाऊँ ,
"बेला" की मदिर खुशबु से ,तेरा पलना मेहकाऊँ ! --आ जा में रे 

आ जा मेंरे लाल, तुझे पलने में सुलाऊँ 
मैना-तोता चिड़िया से साज सजाऊँ | 
                                 फरुआरी \ २०२२