Pages

પ્રવાહ



શિવ મસ્તકેથી નીસરી, બની કલ્યાણમય    પ્રવાહ .
મલિનમનને ધોવા, ધર્યું નામ, ગંગાનો  પ્રેમ   પ્રવાહ.
તન ભીતર પણ વહે , એક, અણદીઠો પ્રેમ  પ્રવાહ .
રગ મહીં દોડે, રક્ત બની એ પ્રભુનો પ્રેમ     પ્રવાહ .
અટકે તનમન કરતાં કર્મ,જો ખૂટે ખટકે એ   પ્રવાહ .

રસના રટે રામ નામ, રસ અર્પે એ જ પ્રેમ   પ્રવાહ .
આ જ છે ગંગાતીર્થ, બનું કૃતજ્ઞ ,પામી  પ્રેમ પ્રવાહ.
"બેલા" પામે સ્નાન, મેળવી ઝાકળ બિંદુસમ પ્રવાહ . 
                                                   19\4\2023 
                                                        2.50 પી.એમ.

બંધન



નિયમ બંધનથી સૂગ શાને ? 
જરા નજર ફેરવો , તો એ નિહાળે .

દેખો વૃક્ષને , ટકે  ગ્રહી ઊંડા મૂળબંધને ,
નદી ,વીંટળાઈ વહે , ના છોડે કિનારાને ;
વીણા  તો સૂરમાં રણકે , બંધાઈ સંગ તારને ,
કુદરતે રચ્યાં આ બંધનો, સમજાવવાને .

જીવનરથ દોડે,લગામે બંધાઈને,
"બેલા"ઝૂલી વળગી ,યમનિયમની વલ્લરીને .
                                       18\4\2023 
                                           10.40 એ. એમ .

અણબુઝી કુદરત

   

વાસંતી વાયરા ને વરસાદી માહોલ,
વચમાં ઊઠે  કાંઈ ઉનાળુ બપોર ! 
કુદરતને ફેરવી ! શી વૈજ્ઞાનિક શોધ ! ! 
સ્પુટનીકો   ગાયે આકાશે ,કાંઈ ધોળ  ! 
બિચારાં વૃક્ષ ! ના સમજી શક્યાં આ તોલ ! 
ખીલવું કે નહીં ?! ના રહયાં સમતોલ. 
ક્યાંક પર્ણો  ને ક્યાંક સુકાં  ઝોલ ! 
"બેલા" વિમાસે , ક્યાં લઇ જાશે માનવીની આ અવિરત ખોળ  ? ! ! 
                                                          12\4\2023 
                                                                2.40 પી.એમ. 

नमो नमो (पायोलिया झनकारी )

 


---नमो नमो गिरिधारी प्या---रे---
श्याम सुंदर , नयन मतवारे --- नमो नमो --

बंसी--वट पेनसी बजा-वे---
गोपियन के/ संग रा--स रचावे 
जसोदानंदन के---दुलारे ----
नमो नमो गिरिधारी प्या--रे---
                                   १५\४\२०२३ 
                                       ११. ४० पि.एम 

खो गई


---तेरी गली कहीं पे खो गई ! 

---मोरे श्याम! मै  रास्ता भटक गई ! 
---कहाँ तो रोज़ रोज़ तुझ से बात करती थी , 
---कब कैसे रास्ता चूक गई ? ! 
---बातें  अब भूतकाल हो गई ,
---लहराते वो दिन खो चुकी। 
---तेरी से लहरी से जो थी महकती ,
---वो "बेला" अब अरे ! सुखी हो गई ! ! 
                                          ७\४\२०२३ 
                                            १. पि.एम्. 

નવનીત



---પ્રભુ ! આરોગો આ નવનીત ,
---વલોણા વલોવ્યા ,કરી કેટલાં યે  કર્મ ;
---અંતે ઉભરી આવ્યું આ નવનીત ! 
---સ્વીકારો પ્રભુ ! થઇ આનંદિત ! 
                                    3\4\2023 
                                       10.30. એ.એમ. 

રે! મન !


---રે ! મન ! આ શું દુ:ખ?! આ શો કચવાટ ?! 
---સુખ દુ:ખ તો દેહના લેખ, એનાં તે શાં આ વલખ ?! 
---માટીના શાં નિભાવવા સંગ ? રંગાને આતમને રંગ ! 
---એ અનંત અવિનાશી સંત, પામવા એને રાખીને ખંત ! 
---કડવા મીઠા ડાકલા રણંત ,છોને વગાડે જગના જંત ! 
---નટ તો નાચે નિજાનંદ, મેલી આઘે સઘળાં  તંત ! 

---તારે બાગ  "બેલા"વેલ ઝૂલંત, ફોરમ  ફેલાવ એની ચતુરંગ ! 
---મીઠાં મધુર નામ રટન્ત , વળોટી જા બની ખમીરવંત !
                                                  10\04\2023 
                                                       8.45 એ.એમ

સાથ હરિનો

 



---હરિ ! તને શું કહું ? તારે હાથ મારું જીવન ,
---મોહથી કરે તું દૂર , નિરાશાથી ભગાવે મન .
---થાય અંધારું તારા થકી દૂર, પરમ-પ્રકાશે ઉજળે ઘન ,
---તુજ કૃપાએ મારું નૂર , વીણ   તારે હું છું હીણ ! 
---સંપત્તિ  કરે તુજથી દૂર,વિપત્તિ લાવે ભીતર ,
---ગણું સંપત્તિને  વિપત્તિ, વિપત્તિ લાવે મનનું હુર ! 
---પ્રેમથી મારે ચાબુક, થયે ભૂલ, ખેંચી લગામ, ઇન્દ્રિયોને તુણ !
---ગમે તારું રૂપ,જે  સોહાવે આ જીવન વેલ,
---"બેલા"ફૂલ મ્હેકે ,તુજ સંગે, રાખી તુજને ઉર ! 
                                            27\12\2022
                                                11.15 એ.એમ.

ગીતા સ્ટડી ગ્રુપ-કેનેડા-વક્તવ્ય-7-12 માર્ચ 2023-અધ્યાય-2-શ્લોક-16-17-18

 


        જય  શ્રી કૃષ્ણ .
હતાશ થઈને બેઠેલા અર્જુનને ફરી સ્ફૂર્તિવાન બનાવવા માટે કૃષ્ણ એક મનોવૈજ્ઞાનિક તરીકાથી ચિકિત્સક બની , તેને ઝંઝોરવાના પ્રયત્નો શરૂ કરે છે . અત્યાર સુધી તેમણે  દેહ અને દેહી, એટલે કે શરીર અને આત્મા વિષે કહ્યું .હવે નિત્ય અને અનિત્ય વિષે કહે છે . 
     પ્રાણી માટે , જન્મ પહેલાંની સ્થિતિ અજાણ છે , અપ્રગટ છે .અને જન્મ પછીની- મૃત્યુ પછીની - પણ અજાણ -અપ્રગટ- છે . જેનું અસ્તિત્વ છે ,તેનો અચૂક નાશ છે . શરીર ઇન્દ્રિયો દ્વારા સુખ-દુ:ખ, ગરમ ઠંડુ  વિગેરે અનુભવે છે ; પણ આગળ જણાવ્યા પ્રમાણે શરીર-દેહ અને આત્મા-દેહી જુદા છે ,તેથી આ બધું આત્મા ને સ્પર્શતું નથી . ઉલટાનું આત્મા તો નિત્ય-અનિત્ય જાણીને-સમજીને શોક કે મોહમાં નથી ઘેરાતો .આ , નિત્ય- અ -વિનાશી અને અ -નિત્ય -ક્ષણભંગુર વિષે સમજાવવા, કૃષ્ણ ,16માં શ્લોકમાં વાત કરે છે . "ન + અસતો " =નશ્વર વસ્તુનું ,"ભાવ:"=હોવાપણું કે અસ્તિત્વ ,"ન વિદ્યતે "=નથી જણાતું . એટલે કે નશ્વર વસ્તુનું હોવાપણું અસ્તિત્વ  હોતું જ નથી .ભલે દેખાય પણ એ આભાસ માત્ર છે . તે તો નાશ પામે છે .અને , તે જ રીતે "સત"= નિત્ય-અ વિનાશી વસ્તુનો "અ ભાવ:" =ન હોવાપણું એટલે કે એ નથી એવો ભાવ-લાગણી-હોતી નથી ન.અ સત વસ્તુના-નશ્વર વસ્તુના હોવાપણાનો; અને "સત "=અ  વિનાશી વસ્તુના ન હોવાપણાનો કદી નાશ થતો નથી . અર્થાત, અસત  વસ્તુ , જેવી કે દેહ, સુખ-દુ:ખ, સૂકું-ભીનું,ગરમ-ઠંડુ, જાડુ -પાતળું, આ બધું અ નિત્ય છે ; સદા રહેતું નથી .જે રીતે મોબાઇલ ફોન એક ને એક મોડેલ નો કાયમ રહેતો નથી, કપડા અને તેની ડિઝાઇન , ઘરેણાં  , આ બધુ બદલાય છે;તે અ સત  છે તેથી , તેનો .સત ઉપર -આત્મા ઉપર કોઈ પ્રભાવ કે તેની સત્તા નથી . આવાં  ,ઇન્દ્રિયોના અનુભવ આત્માને કાંઈ પણ અસર કરી શકતાં  નથી . અસત  કે મિથ્યા વસ્તુનું અસ્તિત્વ કે ભાવ -હોવાપણાનો ભાવ થતો નથી . ;તેમજ સત નો -આત્માનો ન હોવાપણાનો ભાવ- તેના વિષે અભાવ થતો નથી .આત્માના અસ્તિત્વ વિષે નકારાત્મક ભાવ થતો નથી . માટે જ મૃત્યુ પામેલ વ્યક્તિ માટે સામાન્ય રીતે "તેના આત્માને શાંતિ મળો " એમ કહીયે છીએ . તે વ્યક્તિને માટે નથી બોલતા . માટે આત્મા શાશ્વત છે , સત  છે તે સ્વીકાર્યું છે . 
        સતનો  સામાન્ય અર્થ છે ; જે અવિનાશી છે તે , જે ત્રણે કાળમાં અસ્તિત્વમાં રહે છે તે ,જે દેશ, કાળ અને વસ્તુથી મુક્ત છે તે સત  છે. તેનો કદી અભાવ હોતો નથી . અસત  અર્થાત ,જે કાંઈ દેશ,કાળ અને વસ્તુથી બંધાયેલ હોય તે . જે આ બધા સાથે પરિવર્તન પામે -નાશ પામે તે .
        આગળ વધતા સત  શું છે તે સમજાવે છે . "યેન ઇદં "=જેના વડે આ ,"સર્વમ "=બધું ,"તતમ "= વ્યાપ્ત થયેલું છે ,"તત "=તેને "તું"= તો "અવિનાશી વિદ્ધિ "=અવિનાશી જાણ .અને "અસ્ય "=એ , "અ વ્યયસ્યૈ  "=અખંડના- અવિનાશીના ,"વિનાશકાળ " =નાશનો , "કરતૂમ"=કરવા માટે ,"કશ્ચિત" =કોઈ "અર્હતિ "= યોગ્ય ન થી ; એટલે કે , જેના વડે આ જગત વ્યાપ્ત થયેલું છે , તેને તું અવશ્ય રીતે અવિનાશી જાણ ; અને એ અવિનાશી એવા અખંડ બ્રહ્મનો નાશ કરવાને કોઈ પણ યોગ્ય નથી . અર્થાત, એ કોઈનાથી પણ નાશ પામી શકે એવું નથી . 
     શ્લોક 18 ."નિત્યસ્ય "=નિરંતર અસ્તિત્વવાળા , "અનાશીન"= નાશરહિત ,"અ  પ્રમેયસ્ય"= અનુમાન કે પ્રમાણોથી , એટલે કે દાખલાઓથી ન પામી શકાય --જ્યોમેટ્રીમાં પ્રમેયને દાખલાઓ સાથે સિદ્ધાંતને પુષ્ટ કરવાનો હોય છે - ઇતિ સિદ્ધમ , કહીને એમ જ અહીં , સતને -આત્માને કોઈ પ્રમેય- દાખલો આપી એનું સતીત્વ સિદ્ધ ન કરી શકાય એવો કહ્યો છે .પ્રમાણપત્રની જરૂર નથી . એ "અ  પરિચ્છેદય "= જેનું વિભાજન ન કરી શકાય તેવા ,"શરીરિણઃ" આત્માના ,"ઈમે "= આ ," દેહાહા"= શરીરો --આત્માએ ધારણ કરેલા શરીરો -"અંતવત:"= નાશવન્ત ,"ઉકતા:"-=કહયા છે .હે ભારત- અર્જુન, "યુદ્ધસ્વ"= તું યુદ્ધ કર . શ્લોકનો ભાવાર્થ  છે; નિત્ય, નાશરહિત  અને  કોઈનાથી પણ માપી ન શકાય , કોઈ પણ માપમાં લાવી ન શકાય તેવા ,આત્માના આ બધા શરીરોને નાશવન્ત કહેવામાં  આવ્યા છે . અર્થાત, પ્રાણીમાત્રના જે દેહો છે ,તે , કાળાંતરે નાશ પામવાના જ છે . માટે તું શોકનો ત્યાગ કર અને યુદ્ધ કરવા ઉભો થા. 
          આની પહેલા દેહ અને દેહી આત્મા અને શરીર વિષે જે કાંઈ કહેવાયું હતું તેને બીજા શબ્દોમાં કૃષ્ણ આ 3 શ્લોકમાં ,અભ્યાસ માટે ફરીથી કહે છે . શરીર જન્મ પહેલા પણ નથી અને મૃત્યુ પછી પણ નથી , અને વર્તમાનમાં પણ, તેનો પળેપળ  નાશ થતો જાય છે , તેનું અ સતીત્વ- તેનો ભાવ નાશ પામતો જાય છે . એટલે કે આ શરીર વિષેનો જે ભાવ છે, ધારણા છે , મમત્વ છે ,તે , ત્રણે કાળમાં કદિ  સ્થાઈ નથી; તેથી તે "અસત " છે . એ જ રીતે સંસાર પણ અસત -મિથ્યા છે . તેના ભાવ વિશેનો- અસ્તિત્વ વિશેનો ભાવ અસ્તિત્વમાં નથી . શરીર કે સંસાર બન્ને ત્રણે કાળમાં  અસ્તિત્વ ધરાવતાં નથી માટે તેની સત્તા પણ નથી અને ભાવ પણ નથી ,તે જાણી લેવું જોઈએ .
       દેહ નષ્ટ થયા પછી પણ દેહી-આત્મા- તો રહેશે જ અને શરીર-દેહ - ભલે પરિવર્તન પામે છતાં દેહી- આત્માનું તો એ જ અચલ, અવિનાશી અસ્તિત્વ જ રહે છે ; માટે એ સત  છે અને તેનો કદી અભાવ થતો નથી . તે જાણી  લેવું જોઈએ . સમજવું જોઈએ . આ વાત , નિર્વિશેષ  વાદી -નિર્ગુણવાદી  તથા નિરાકારવાદી  અને સગુણવાદી  એમ બન્ને પ્રકારના તત્વદર્શીઓ દ્વારા સાર રૂપે કહેવાય છે . "ઉભયોરપી દ્રષ્ટ:"
       અર્જુન ભૌતિક સમ્બન્ધોથી મોહિત થઇ  અજ્ઞાની થઇ ગયો છે, તેને કહેવાની સાથે કૃષ્ણ દરેક દેહધારીને આ કહે છે .આરાધ્ય- જેની આરાધના કરવાની છે તે - = પરમ અને આરાધક- જે આરાધના કરે છે તે - = અંશ પ્રાણી, બે વચ્ચેના સમ્બન્ધને સમજાવે છે . જેને જેને આકાર છે ,નામ છે , તે સર્વનો નાશ છે, અને , તેથી તે "અસત " છે . તેમાં કોઈ કાળે  હોવાપણું હોતું નથી. આ હોવાપણું અને અસ્તિત્વ માટે ભાવ શબ્દ વપરાયો છે ; અને ; "સત " જે કદિ  નાશ પામતું નથી, ક્યારે ય પરિવર્તન પામતું નથી, કોઈ પણ કાલે જેમનું તેમ જ રહે છે ; જેનું ન હોવાપણું થાતું નથી, તેને માટે "અભાવ" શબ્દ કહ્યો છે .
     આ "સત "ના લગભગ 21 લક્ષણો છે . એના નામ ઉપરથી જ સમજાય છે કે તે સત  છે; અને દેહ અસત છે . આપણે ઝડપથી આ લક્ષણોના નામ જોઈએ . 
     અવિનાશી , અવ્યય , નિત્ય , અપ્રમેય , --જેને પ્રમાણની જરૂર નથી -- , સ્થાણું =સ્થિર , અવ્યક્ત= જોઈ કે સ્પર્શી ન શકાય , આ નાશીન , અ  જન્મા , શાશ્વત , પુરાતન , અચ્છેદ્ય , અચલ , અચિંત્ય , અ  વધ્ય  , અ  દાહ્ય , અ  ક્લેદય= ભીંજવી ન શકાય , આઅ શોષ્ય = સુકવી ન શકાય કે સુકાઈ ન જાય તેવો , સર્વગત::= બધે વ્યાપ્ત , સનાતન , અ  વિકારી અને અ હન્ય .
     આમ આ લક્ષણો ઉપરથી જ થોડી સમજ તો પડી જ જાય કે , તે નિત્ય છે ;માટે સત  છે અને દેહ, જેનો ક્રમે ક્રમે નાશ થાય જ છે તે અસત  છે .   એક પદ છે ; " સતનું ચિંતન રે કરવું , સતવાયક નિષ્ચય ઉચ્ચરવું " આખા  પદ માં સત્ય  વિષે જણાવ્યું છે . સત્ય કર્મ કરવું, જૂઠું ન બોલવું વિગેરે . 
       તો , હું જે સમજી છું તે અહીં કહ્યું અને તે કૃષ્ણાર્પણ  કરીને વિરમું છું . 
     જય  શ્રી કૃષ્ણ .