Pages

દુ:ખ -સુખ



માનવીની કર્મ ભૂલનું પરિણામ દુ:ખ ,
ભૂલ વિલંબ વિના સુધારી નવું કર્મ તે સુખ ;
આત્મ શાંતિનું સુખ .
કોઈના દીધાં મળતાં નથી સુખ -દુ:ખ .

વ્યવહારનું સત્ય છે સુખ -દુ:ખ ,
પ્રામાણિક જીવન છે ,તો છે સુખ ;
સત્ય છે તો છે સુખ ,
શાંત -સંતોષી ચિત્ત અર્પે છે સુખ .
                કિન્તુ 
સુખ -દુ:ખ એક આભાસ છે ;
કારણ એ શાશ્વત નથી .
બટકણુ  અને અદ્રશ્ય થતું છે સુખ-દુ:ખ .
વાસ્તવ અને ભ્રમ વચ્ચે
અટવાવે છે સુખ દુ:ખ .
જો ચમકો જલ-બિન્દુની જેમ ;
જે રહે છે કમલ પત્ર પરે ,
તો નાસી   જાશે સર્વ સુખ-દુ:ખ .!

બેલા\૧૮નવેમ્.૨૦૧૨\૪.૫૦.પી.એમ.

No comments:

Post a Comment