---------------આ અશ્વતથામા ! -------
-----વેદ -વિદ્યા પારંગત ! આત્મ ચિંતક !
છતાં
-----શ્રદ્ધાના દીપકની ધ્રુજારીમાં ,હલબલી જતો વિચારક !
-----અશ્વતથામા ! ચિરંજીવ અશ્વ્તથામા !
કિન્તુ
-----એની યાતના ,એટલે ;મસ્તકના મણી ની બેરહમીથી થયેલી કતલ !
-----મૃત્યુથી ય વધુ જખ્મી, આ , સુરૂપતાનું મૃત્યુ ! ! !
-----બચપણમાં મળ્યું ,ચોખાના પાણીનું મૃગજળ જેવું દૂધ !
-----અને ,અંતિમ પડાવ ઉપર પણ ;_______
-----તરફડતી માનવતા રૂપે અમરત્વનું મૃગજળ ! !
-----આવો , વિરૂપ , ઘાવથી ;શારીરિક અને માનસિક
-----પીડાતો અશ્વતથામા ! !
-----યુગો યુગોથી વન વન ભટકે છે ! ! !
-----અમરત્વ ,વરદાન કે શાપ ?? ! !
23\7\2019
9.45. એ। એમ।
No comments:
Post a Comment