જિંદગીનાં પંચોતેર પગલાં
પાર પાડ્યાં .
હસતાં,રમતાં,ભણતાં અને રડતાં .
હવે ,આ છોંતેરમું ડગલું !
કેવું હશે ?
ભવ-ભૂગોળનાં નકશામાં ,
શું દોરાયું હશે ?
એક વાત બની ,આ ,
પંચોતેરમાં પગલામાં .
આ મન -માંકડાની ઈચ્છા પૂર્તિની .
મન હંમેશ ઊછળતું -વિચારતું ;
ક્યારેક દુનિયાના કોઈક ખૂણે
કોઈક તો મને સાંભળે !
કોઈક તો મને વાંચે !
મારુંય જરાક અમસ્તું નામ થાય!
અને લો !
મારો શામળો ,અનિલ બનીને ,
લહેરાયો .અને ,
મારી -બેલાની -સુવાસ
જગત ભરમાં ફેલાવી .!
હે ઈશ !
હવે સહુનાં કલ્યાણ સિવાય
કાંઈ જ ઈચ્છા નથી .
હવે તો જે કાંઈ દેહ ધર્મ-કર્મ
બાકી હોય તે ,
તારાં ધ્યાનમાં મગ્ન રહી
પૂરાં કરું .અને
તારી સમીપે -તને ભેટવા ,
મારગ સાફ સુથરો કર્યે જાઉં ;
મારા શ્યામ !
બેલા \૨૫સપ્ટે.૨૦૧૨ \૭.૪૫.એ.એમ. યુ.એસ.એ .
No comments:
Post a Comment